________________
(૮૦)
ક્રોધાદી તરતમ્યતા સર્પાદિકની માંય, પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર, વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ.
શકા
શિષ્ય ઉવાચ
કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ.
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ.
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય, કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય.
૬૭
૬૮
૬૯
૭૦
૭૧
૭૨
૭૩