________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા : હા, વિયોગ થઈ જાય એટલે મુક્ત થઈ ગયો. પણ જ્યાં સુધી ફસાયેલો છે ત્યાં સુધી પુદ્ગલની સાથે એનો જન્મ થયા કરેને ?
દાદાશ્રી : એનો જન્મ થાય નહીં.
૨૯૪
દેહ જન્મે-મરે એ સંસારી અવસ્થા, અજન્મા આત્મા
પ્રશ્નકર્તા : આપ જેમ કહો છો એની સાથે લાગેલો તો ખરો જ તો પુદ્ગલનો જેમ જન્મ થયો તેમ આત્માનો સાથે જન્મ થયોને ?
દાદાશ્રી : ના, એથી આપણા લોકો કહે છે ને જીવનો જન્મ થયો ! પુદ્ગલની અવસ્થા ને આરોપ આત્મા ઉપર કરવામાં આવે છે કે જીવનો જન્મ થયો.
પ્રશ્નકર્તા ઃ મારો પ્રશ્ન એ છે કે આત્મા મારી સાથે સંકળાયેલો છે આજે, મારા આત્માનો મોક્ષ થાય !
દાદાશ્રી : તમે જ છો, તમે જ છો એ.
પ્રશ્નકર્તા ઃ મારો મોક્ષ થાય તો તો સવાલ ઊભો થતો નથી પણ મોક્ષ ન થાય ને ફરીથી જન્મ થાય તો મારી સાથે જે આત્મા સંકળાયેલો છે આજે, એ પાછો એની સાથે ને સાથે રહે છે. તો એ મારો ફરીથી જન્મ થયો તો એની સાથે સંકળાયેલો આત્મા એમને ફરીથી જન્મ થયો ન કહેવાય ?
દાદાશ્રી : અવસ્થા કહેવાય આત્માની. જન્મ તો દેહનો જ કહેવાય ને મરેય દેહ. આત્મા મરી ગયો એમ કોઈ કહેતું નથીને ? દેહ મરી જાય છે ને જન્મેય છે તે દેહ. પણ આત્માની અવસ્થા છે અત્યારે, સંસારી
અવસ્થા.
પ્રશ્નકર્તા ઃ તો મૃત્યુ
દાદાશ્રી : મૃત્યુ તો
જેવી વસ્તુ
છે ખરી ?
આ
જે જન્મેલો છે, તેનું મૃત્યુ થયું. જે જન્મતો જ નથી એનું મૃત્યુય કેવું ? એટલે આત્મા અજન્મા-અમર છે. અને મૃત્યુ તો આ દેહ જન્મ્યો, માટે એ મરી જવાનો.