________________
(૧૧) અચ્યુત
૨૮૭
દાદાશ્રી : બરોબર છે. એ એની ભાષામાં સમજે એ બરોબર છે.
સંબંધો-સંયોગો ચ્યુત, આત્મા એકલો જ અચ્યુત
આ પરિવર્તનશીલ બધું ચ્યુત કહેવાય. આત્મા અચ્યુત છે, બીજું બધું ચ્યુત સ્વભાવનું છે.
આ રિલેટિવ બધું ચ્યુત સ્વભાવનું છે. આપણે ના કહીશું તોય હડહડાટ (સડસડાટ) જતું રહેશે. ઝાલી રાખીએ તોય કશું નહીં. કરાર કરીએ તોય જતું રહે. જતું રહે કે ના જતું રહે ?
પ્રશ્નકર્તા ઃ જતું રહે.
દાદાશ્રી : મન-વચન-કાયા એ શ્રુત સ્વભાવના છે, પોતાની જગ્યા છોડી દે એવા છે. પ્રકૃતિનો સ્વભાવ જ આવો છે. એનો ચ્યુત થવો એ સ્વભાવ છે ને આપણો અચ્યુત સ્વભાવ છે. આ સંસારના સંબંધોયે ચ્યુત સ્વભાવના છે.
આ બધા સંબંધો જેટલા છે એ ચુત થનાર છે. મા-બાપ, વાઈફ બધું ચ્યુત થનાર છે. તે આ બધી વસ્તુઓ ચ્યુત. સંબંધો માત્ર ચ્યુત. સંબંધ થાય અને છૂટા પડી જાય. સંયોગો બધા વિયોગી સ્વભાવના, એ ચ્યુત કહેવાય. અને આત્મા શું કહે છે ? હું અચ્યુત છું. તું મને ભેગો થયો પછી હું તારાથી ખસું નહીં. ક્યારેય પણ નહીં, કોઈ પણ સંજોગોમાં.
આ સંસારના સંબંધો ખસી જાય એવા છે. બાપને છોકરા જોડે ઝગડો થાય તો કોર્ટમાં બેઉ જણ જાય પણ ‘પોતે’ અચ્યુત ખસે નહીં. આ
સંજોગોને ખસતા વાર નહીં લાગે અને આત્મા ખસશે નહીં એટલે આત્મા
ઉપર બેસી જજે. આ એકલો જ સંબંધ આત્માનો એ અચ્યુત છે, એ પોતાનો જ છે સંબંધ. તેથી કૃષ્ણ ભગવાન કહે છે, ‘હું અચ્યુત છું.’
ડાયવોર્સ (છૂટા) થાય એ બધુંય ચ્યુત
આ સંસારના સર્વ સંબંધો ડાયવોર્સ થનાર છે, હું અચ્યુત છું. ચ્યુત એટલે ડાયવોર્સ કરે એ. જે સંબંધ જતા રહે આવીને, સંબંધ થઈને જતો રહે. જે ડાયવોર્સ લે, એને અચ્યુત કેમ કહેવાય ? કોઈએ લગ્ન કર્યું હોય અને