________________
૨૬૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર શું કરે છે એને જોવા અને કોઈ આપણને બીજી કંઈ બાબત પૂછે કે ભઈ, કેટલા વાગ્યા ? એ વ્યવહારિક છે, બીજું-ત્રીજું છે, તો તો આપણે બોલવું જ પડેને, નાછૂટકે ?
દાદાશ્રી: હા, પણ એ તો એક પુદ્ગલ જોતા હોય.
પ્રશ્નકર્તા: ધારો કે ભગવાન મહાવીર એક પુગલને જુએ છે અને એ વખતે તો ગૌતમ સ્વામી એમને પ્રશ્ન પૂછે તો એ જવાબ નીકળેને?
દાદાશ્રી : એ તોય એક જ પુદ્ગલને જોતા હોય, એનો વાંધો ક્યાં છે ?
પ્રશ્નકર્તા ઃ તો એ જવાબ બહારનો ભાગ આપને ?
દાદાશ્રી : ભગવાન મહાવીર તો જવાબ ન આપે. તે ઘડીએ જે ભાગ હતો તેનો તે જ જવાબ આપે. તે ઘડીએ તેનો તે જ હોય.
પ્રશ્નકર્તા: બરોબર છે, પણ બહારનો ભાગ આપણે કોને કહીએ છીએ, એક પુદ્ગલ અને તે સિવાયનો ભાગ ?
દાદાશ્રી : બહારનો ભાગ હોતો નથી જોનારને. પ્રશ્નકર્તા: જોનારને બહારનો ભાગ નથી હોતો ?
દાદાશ્રી: હંઅ. જે જોનાર અને જાણનાર છે, એને (વિભાવ રૂપી) બહારનો ભાગ હોતો નથી.
પ્રશ્નકર્તા તો એમાં જોવાનું અને જાણવાનું જ આવે ફક્ત, એક પુદ્ગલ જોવામાં.
દાદાશ્રી : એટલું જ એ જાણવાનું છે આ તું બોલી રહ્યો છું ને, તેને જુએ-જાણે એને જ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા: દાદા, એવું ક્યારે રહેશે ?
દાદાશ્રી : આપણે તો એ પ્રયત્નમાં તો હોઈએ ને ! છેવટે આ કરવાનું છે એવું તો બધું હોયને ?