________________
૨૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
‘દાદા ભગવાન” એ સ્વપરિણતિ કરવાનું જ્ઞાન. અને હમણે બીજા કોઈ ભગવાન હોય તો પરપરિણતિ ઉત્પન્ન થાય. આ તો દાદા ભગવાન આપણે કોને ઉદેશીએ છીએ ? મહીં જે પ્રગટ થયા છે તેને ઉદેશીએ છીએ. માટે એ જ મુખ્ય વસ્તુ છે. એ સ્વપરિણતિ છે.
- ‘દાદા ભગવાન' સાધન નથી, આલંબન નથી, પોતાનું જ સ્વરૂપ છે. તમારું સ્વરૂપ જ “દાદા ભગવાન' છે. જો આલંબન હોય તો તો પરપરિણતિ ઊભી જ છે. એ આલંબન નથી, માટે એ સ્વપરિણતિ છે. કો’ક જ વખત આવું બને છે. તીર્થકરોને માટે ખરું. કારણ કે એમનામાં અહંકાર નહીંને ! અને ક્રમિક માર્ગના જ્ઞાનીમાં તો અહંકાર રહે એટલે પરપરિણતિ રહે. એ એમનું અવલંબન ને નિદિધ્યાસન એ પરપરિણતિ કહેવાય. અને આ સ્વપરિણામી ચીજ છે.
પ્રશ્નકર્તા : “જ્ઞાની પુરુષ એ જ તમારો આત્મા છે' એવું કહો છો તો તેમનું નિરંતર નિદિધ્યાસન રહે તો એને સ્વપરિણતિ કહેવાય ?
દાદાશ્રી : હા, એ સ્વપરિણતિ કહેવાય.