________________
(૮.૨) સ્વપરિણતિ-પ૨પરિણતિ
પ્રશ્નકર્તા ઃ આમ તો સ્વપરિણતિમાં આવી ગયા પણ પછી પ્રવૃત્તિમાં એ ધ્યાન ન રહે. પ્રવૃત્તિ વખતે એ ભૂલી જવાય એટલું જ.
દાદાશ્રી : ના, પણ પરપરિણતિ રહેતી નથીને ?
પ્રશ્નકર્તા : ભૂલી જાય તે વખતે પરિણિત ન કહેવાય ને ? દાદાશ્રી : કેમ ?
૨૦૧
પ્રશ્નકર્તા : બીજી પ્રવૃત્તિમાં આ લક્ષ ન રહે ?
દાદાશ્રી : પણ બીજી પ્રવૃત્તિ મહાવીર સ્વામી નહીં કરતા હોય ? ચાલતા હોય, દેશના આપતા હોય, એ બધી પ્રવૃત્તિ તો એમને ન્હોતી ?
પ્રશ્નકર્તા ઃ એ વખતે પ૨પરિણતિ ન કહેવાય ?
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા ઃ ભાવમાં તો વધઘટ નહીં થતી હોય ?
દાદાશ્રી : જે ભાવ વધઘટ થાય છે એ બધા પરપરિણતિના ને જે ભાવ વધઘટ થતા નથી તે બધી સ્વપરિણતિ.
‘હું કરું છું’ તે પરપિરણિત કહેવાય. ‘આ આમણે મારું બગાડ્યું’, એમ કહે તો એ પરપરિણતિ કહેવાય. આ કંઈ પણ પરપરિણામ ઊભા થાય, એ પરપરિણામને પોતાના પરિણામ માનવા એનું નામ પરપરિણતિ. તે આપણે જ્ઞાન આપીએ ત્યારથી તમારે સ્વપરિણતિ ઉત્પન્ન થઈ છે. હવે પ૨પરિણામને પોતાના પરિણામ માનતો જ નથી. એટલે આ તો પરપરિણતિ છે જ નહીં. સ્વપરિણામને માનવાવાળા છે. પોતાના પરિણામોને જ માને છે.
અમને નિરંતર સ્વપરિણામ રહે. પરપરિણતિ અમને ઉત્પન્ન જ થતી નથી. તમનેય થતી નથી પણ તમને હજુ જરા મહીં ડખો રહ્યા કરે છતાં તમે મને કહો કે મને ૫૨પરિણતિ ઉત્પન્ન થઈ તો હું માનું જ નહીં, કારણ કે આ જ્ઞાન જ એવું છે કે પ૨પરિણતિ ઉત્પન્ન જ ના થવા દે.