________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
વગર પકડે. (આપણે) તો આ બધું પૂરું થઈ ગયું. આ છેલ્લું છે. અડતાલીસ આગમનો સાર લખ્યો છે, તેય (અહીં) પૂરું થઈ ગયેલું છે.
ભ્રાંતિથી ભાસે સંગી, તિજભાતે અસંગ
૧૨૬
પ્રશ્નકર્તા : ‘કેવળ હોત અસંગ જ જો, ભાસત તને ન કેમ, અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ.' -શ્રીમદ્
દાદાશ્રી : આપણું જ્ઞાન અહીં જુદું પડે છે. કેવળ અસંગ જ છે પણ ભાસતો નથી. એને ભ્રાંતિથી નથી ભાસતો. અસંગ જ છે, પણ અસંગ થાય કેવી રીતે ? જો સંગી હોય તો અસંગ થઈ શકે નહીં. કેવી રીતે અસંગ થઈ શકે ? એ તો ગુણધર્મ છે એના. સંગી થયો એટલે લેપાયમાન થયો. લેપાયમાન થયો એટલે બધા ગુણધર્મ પેસી જાય પછી. એટલે આપણું વિજ્ઞાન અહીં આગળ આટલો જ ડિફરન્સ.
‘અસંગ છે પરમાર્થથી’ એ વાત સાચી છે. તે આપણેય એવું કહીએ છીએ કે ‘અસંગ પરમાર્થથી છે, પણ નિજભાને તેમ.’ અત્યારે ભાન અવળું છે, માટે આ તો અસંગ નથી. ભાન અવળું છે માટે આત્મા સંગી થયો કહે છે. કરોડો અવતારેય જે સંગ ત છૂટે, તે અક્રમ છોડાવે લક્લાકમાં
પ્રશ્નકર્તા : (વાંચે છે) (શ્રીમદ્ પત્ર-૬૦૯)-૪. ‘એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે.
૫. સર્વ જિનાગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યા છે.
૩. ‘સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે.’ સંગના યોગે. ‘સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.’
દાદાશ્રી : હવે સંગની નિવૃત્તિ ક્યારે થાય ? કરોડો અવતારેય સંગની નિવૃત્તિ થાય નહીં. આ સંગ તો, આ ખસેડે ત્યારે પેલો પેસે. પેલાને ખસેડે ત્યારે પેલો પેસે. પછી સ્ત્રી, પુત્ર, છોકરાં બધા, કંઈ સંગ