________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
કાયમ ને સત્ જ છે. સત્નો અર્થ જ એ છે કે જે અવિનાશી હોય અને જોડે જોડે ગુણ-પર્યાય સહિત હોય. અને અગુરુ-લઘુ સ્વભાવવાળો હોય. એ બધા જ તત્ત્વો એવા છે, એ શુદ્ધાત્મા એકલો નહીં. બધા તત્ત્વો સત્ કહેવાય છે.
૧૦૬
તત્ત્વનો સ્વભાવ કેવો ? અગુરુ-લઘુ. તત્ત્વને માટે જો વિશેષણ વાપરવું હોય તો અગુરુ-લઘુ લખવું પડે. જે વધે નહીં, ઘટે નહીં, એનું નામ તત્ત્વ કહેવાય. ભારે નહીં, હલકું નહીં, લાંબું નહીં, ટૂંકું નહીં, બધું એવું હોય ત્યારે એને અગુરુ-લઘુ તત્ત્વ કહેવાય.
પ્રશ્નકર્તા : મૂળ તત્ત્વ ઘટવધ થતું નથી, હવે ઑક્સિજન એ તો ઘટી જાય છે ?
દાદાશ્રી : ઑક્સિજન એ મૂળ તત્ત્વ નથી. મૂળ તત્ત્વ તો પરમેનન્ટ હોય, એને ફેરફાર ના થાય. ઘટે નહીં, વધે નહીં, કોઈ ચેન્જ ના થાય. ઑક્સિજન મૂળ તત્ત્વ નથી, હાઈડ્રોજન મૂળ તત્ત્વ નથી, પાણી એ મૂળ તત્ત્વ નથી.
તમારી સમજમાં આવ્યુંને ? બીજું બધું વધઘટ થયા જ કરે. મૂળ તત્ત્વ સિવાય દરેક વસ્તુ વધઘટને પામે. (એ) ગુરુ-લઘુ હોય અને મૂળ તત્ત્વ અગુરુ-લઘુ હોય.
પ્રશ્નકર્તા ઃ પાણી મૂળ તત્ત્વ નથી ?
દાદાશ્રી : ના, ના, પાણી, તેજ, વાયુ એ મૂળ તત્ત્વ નથી. આકાશ એકલું મૂળ તત્ત્વ છે.
પ્રશ્નકર્તા ઃ હવે આ છ એ તત્ત્વો અવિનાશી તત્ત્વ છે, એમાં આત્મા ગુરુતમ કે બધા તત્ત્વો ગુરુતમ ?
દાદાશ્રી : બધા સરખા, ગુરુતમ-લઘુતમ ના હોય.
પ્રશ્નકર્તા ઃ બધા સરખા જ ને ? તો આત્માને કેમ પરમ તત્ત્વ કહ્યો છે આપણે ?