________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થંકર ભગવાનની
અને ત્રીજું, એક પ્રદેશ. આ ત્રણેય છે તે કેવળજ્ઞાની જોઈ શકે. જોવું એટલે આપણા લોકો શેને ‘જુએ છે’ એવું કહે છે ? આ આંખને દેખાય છે એને કહે છે પણ ના, એ જોવું એટલે અનુભવવું. જોવું-જાણવું એ અનુભવમાં જાય છે. આ જોવું-જાણવું વિભાજન ક્યારે પડે છે કે જ્યારે ઈન્દ્રિયજ્ઞાન થાય છે, એ અધુરપના આધારે.
પ્રશ્નકર્તા : અતીન્દ્રિય જ્ઞાનમાં બધું એક સાથે જ થાય ?
દાદાશ્રી : બધું સાથે જ થાય.
લોકાલોક પ્રકાશક સ્થિતિ, કેવળજ્ઞાતમાં
શકે ?
૩૫૫
પ્રશ્નકર્તા : દાદા, શાસ્ત્રમાં એક એવું વાક્ય છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિર્મળ આત્મા એકલો પોતાના કેવળજ્ઞાનમાં અનંત પ્રદેશાત્મક લોકાલોકને સમાવી લે છે.
દાદાશ્રી : બહુ સુંદર વાક્ય છે.
પ્રશ્નકર્તા : બધા જ લોકાલોકને આખો, આત્મા એક જ સમયે જોઈ
દાદાશ્રી : તેથી અમે કહીએ છીએ ને કે આખા લોકમાં ફેલાય છે. પ્રશ્નકર્તા : આખા લોકમાં !
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા ઃ એ દાદાને જ્યારે જ્ઞાન થયું ત્યારે આ જ સ્થિતિ હોવી જોઈએ. દાદાશ્રી : ના, એ સ્થિતિ નહોતી. એ સ્થિતિથી થોડી ઓછી હતી. જે ચાર ટકા ઓછા હું કહું છું ને, તે સ્થિતિ હતી.
શૈલેષીકરણ ક્રિયા પછી, પહોંચે સિદ્ધક્ષેત્રે
પ્રશ્નકર્તા : શૈલેષીકરણ વખતે પ્રદેશોને સ્થિર કરે એટલે શું ? શૈલેષીકરણમાં શું કરે એ લોકો ?