________________
(૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ તીર્થકર ભગવાનની
૩૪૧
દાદાશ્રી : હા, સિક્કો તો એમનો જ, ત્યારે જ કેવળી થાય.
જ્ઞાની પુરુષ એ મુક્તાનંદી કહેવાય. મુક્તાનંદીને જોયા પણ તીર્થકરને નથી જોયા. તીર્થંકરનું જે કેવળજ્ઞાન છે, એ તો અજાયબી ને ! પણ વર્ણન ના થાય એ.
સમ્યક્ દષ્ટિધારીતે, તીર્થરતા દર્શને થાય બેડો પાર
પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન એ તીર્થંકરની હાજરીમાં થાય અને જ્ઞાનીની હાજરીમાં શું થાય ?
દાદાશ્રી : આ થઈ રહ્યું છે કે, જ્ઞાન મળે છે તે ! અને પછી એને પછીના દેહે પાછા તીર્થકર ભેગા થાય, ત્યાં આગળ વાર જ ના લાગે. પહેલું આગળ થયેલું હોવું જોઈએ. કંઈક લાયકાત તો જોઈએ ને ? સર્ટિફાઈડ તો જોઈએ ને ? ત્યાં તીર્થકરની હાજરીમાં ગમે તે માણસ જાય, તેથી કરીને કશું વળે નહીં. બધા બહુ માણસો બેસે, પણ કશું વળે નહીં. એ તો એને લાયકાત કેળવી હોય અને દૃષ્ટિ ફરેલી હોય ત્યાં આગળ કામ થઈ જાય. તીર્થકર કશું કહેવા ના જાય, દૃષ્ટિ પડતા જ એના ભાવ ફરી જાય. જોતાં જ કેવળજ્ઞાન થઈ જાય. એટલા માટે હું કહું છું ને કે આપણા મહાત્માઓને તીર્થકરના દર્શન કરવાના રહ્યા ફક્ત.
પ્રશ્નકર્તા અનેક તીર્થકરો થયા, આ જીવો તો અનેક ભવોથી ભમ્યા જ કરે છે, તો એ વખતે તીર્થકરોની હાજરી એમને નહીં મળી હોય?
દાદાશ્રી : બહુયે વખતે મળ્યા હશે, તીર્થકરોની પાસે બેસીય રહ્યા છે. પ્રશ્નકર્તા : પણ ભાન નહીં.
દાદાશ્રી : નહીં, ચટણી ખાવાની ઈચ્છાઓ ! ચટણીઓ ખાવા માટે ફરે, આખી થાળી જમવાની ઈચ્છા નહીં, બત્રીસ ભાતની રસોઈ જમવાની ઈચ્છા નહીં.
પ્રશ્નકર્તા તો એનો અર્થ એ કે એમની લાયકાત નહોતી તે વખતે ? દાદાશ્રી : નહીં, ચટણી ખાવાની ઈચ્છા રહી ગઈ એટલે પછી ત્યાં