________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : એ એક્સૉલ્યૂટ જ્ઞાન. બાકી આ જ્યાં સુધી ક્રોધવાળું જ્ઞાન છે ત્યાં સુધી ક્રોધનું મહીં મિક્ષ્ચર છે. લોભનું મિક્ષ્ચર છે ત્યાં સુધી જ્ઞાન નથી. લોભી જ્ઞાન છે એ કામમાં લાગવાનું નથી, ક્રોધી જ્ઞાન છે એ કામમાં લાગવાનું નથી. અહંકારી જ્ઞાન છે એ કામમાં લાગે નહીં. આ બધું મહીંથી નીકળી જાય ત્યારે એક્સૉલ્યૂટ જ્ઞાન રહે.
૩૧૪
એબ્સૉલ્યૂટ જ્ઞાન સમજે તો ઉકેલ આવશે. બીજું તો એ દ્રવ્ય-ગુણપર્યાયથી બધું જ જાણે, જગતમાં કશું વસ્તુ જાણવાની બાકી ના હોય એમને માટે. એક્સૉલ્યૂટ જ્ઞાન, એક્સૉલ્યૂટ ! પણ આ અર્થ સમજે નહીં લોકો. એ પેલા જોવા ભણી દૃષ્ટિ એમની. શાસ્ત્રોમાં એ લખ્યું છે ને ! આ લખ્યું હોતને કે ભઈ, ક્રોધ ઓછો કરો, ક્રોધ કાઢો, તો મહીંથી ધીમેથી ઓછું કરતો જાત.
:
પ્રશ્નકર્તા ઃ એમ તો ઈન્ડિરેક્ટલી આ સમયસારમાં આખરમાં એનો સાર કાઢીને લખ્યું છે કે કિંચિત્માત્ર પણ રાગ હશે તો જ્ઞાનનું ઉદ્ઘાટન થશે નહીં.
દાદાશ્રી : એ પણ લોકો એમની ભાષામાં સમજે છે ને ! એ રાગ મારે કાઢવાનો છે.
પ્રશ્નકર્તા : હા, એટલે એ તો પછી આખી જુદી ક્રિયા થઈ જાય.
દાદાશ્રી : મિક્ષ્ચર થયેલું છે આ. મારે કેવળજ્ઞાન જાણવું છે એ જ્ઞાનેય છે તે મિક્ચર છે. જાણવાપણાની ઈચ્છા છે એ મિક્ષ્ચર થયેલું છે. એ કાઢી નાખો.
તિર્ભેળ, શુદ્ધ, એક્સૉલ્યૂટ એ જ કેવળજ્ઞાત
જ્ઞાન એટલે જ્ઞાન, પ્યૉર પ્રકાશ. જ્ઞાન એ જ પરમાત્મા છે. કયા જ્ઞાન પરમાત્મા ? જે જ્ઞાન મન-વચન-કાયાથી ચોરી ન કરાવડાવે, મનવચન-કાયાથી પ્રપંચ-જૂઠ ના કરાવડાવે, જે જ્ઞાન લોભ ના કરાવડાવે, ક્રોધમાન-માયા-લોભ ના કરાવડાવે તે જ્ઞાન જ પરમાત્મા છે. તે કેવળ એ જ જ્ઞાનને ભજે ને બીજા કોઈ જ્ઞાનની ભજના ના હોય એનું નામ કેવળજ્ઞાન.