________________
(૮) ચળ-અચળ-સચરાચર
હશે તેમાં.’ એટલે એ ‘તમારે' મૂળ સ્વરૂપે, અચળ સ્વરૂપે થવું પડશે. એટલે અચળ થઈ જશો પછી.
૧૯૩
પ્રશ્નકર્તા : એટલે આવી રીતે સચળમાંથી અચળ થશે ?
દાદાશ્રી : સચળ છે જ આ અને એ પોતે અચળ જ છે. જ્યારે એની આ માન્યતા ખોટી છે એવું ભાન થશે અને સાચી માન્યતા પ્રગટ થશે એટલે એ અચળ થઈ જશે. આ સચળ એ પાછું અચળમાં ભળી જશે, એક થઈ જશે.
તથી જાણતો એટલે, કરવા જાય અસ્થિરતે સ્થિર
આ લોકો મિકેનિકલ આત્માને સ્થિર કરવા ધ્યાન કરે છે. પણ રિયલ આત્મા સ્વભાવ કરીને સ્થિર છે. મિકેનિકલ આત્માને સ્થિર કરવા માટે ક્રોધ-માન-માયા-લોભ કાઢવા માંગે છે. હવે લોકો સચરને પ્રાણાયમ કરીને, પદ્માસન વાળીને, ઈન્દ્રિયો રોકીને સ્થિર કરવા માંગે છે પણ તે થાય નહીં. કારણ કે એ સમજતો નથી આને. એ ‘આ સચર છે’ એવું જાણતો જ નથી. એ જાણે છે કે આ આત્માને જ સ્થિર કરવાનો છે. આ હોય આત્મા. આ તો વ્યવહારમાં રહેલો આત્મા છે. મૂળ આત્મા પોતે સ્થિર જ છે. ‘તું’ પોતે ‘આત્મા’ને જાણ. અને આ મિકેનિકલ સ્થિર થઈ શકશે નહીં. અમુક કાળ સ્થિર થશે ને પાછું અસ્થિર જ થઈ જશે. મૂળ સ્વભાવ જ મિકેનિકલ છે જેનો !
આ વ્યવહારિક આત્મા સ્થિર થઈ શકે નહીં અને તું ‘પોતે’ સ્થિર
જ છે. ભાન થાય તો ! અને ભાન ના થાય તો એને સ્થિરતા થાય નહીં. ‘પોતે આત્મા છું’ એવું ભાન પ્રગટ થાય તો ‘પોતે’ સ્થિર જ છે અને આ ચંચળ છે એ કોઈ દહાડો સ્થિર નહીં થાય. કારણ કે જેને સ્થિર કરવા જાય છે તે ‘મિકેનિકલ' ચેતન છે, એ ખરેખર ‘એક્ઝેક્ટ’ ચેતન નથી. ‘તું’ ‘મૂળ સ્વરૂપ’ને ખોળી કાઢ. ‘મૂળ સ્વરૂપ' સ્થિર જ છે !
પ્રશ્નકર્તા : આત્મા સ્થિર જ છે તો બીજો કયો ભાગ અસ્થિર છે ? દાદાશ્રી : બીજો બધોય, આત્મા સિવાય. આત્મા સ્થિર છે ને બીજું