________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
નિશ્ચેતન ચેતન એ ચેતન નથી. ચેતન જેવું દેખાય છે પણ ચેતન નથી. મિશ્ર ચેતનમાં ચેતન જેવું દેખાય છે પણ ચેતન છે મહીં, મિક્ષ્ચર તરીકે. આમાં તો ચેતન જ નથી.
૧૩૮
ઊડ્યું મિશ્ર ચેતત, રહ્યું શુદ્ધ તે નિશ્ચેતન ચેતન
આ તમને જ્ઞાન આપ્યા પછી તમારો અહંકાર શેકેલા બી જેવો હોય. તે એ બધું અચેતન-ચેતન. પણ જે ઊગી શકે એવું હોય અહંકાર, તે મિશ્ર ચેતન.
ક્રમિક માર્ગમાં એક શુદ્ધ ચેતન હોય અને એક મિશ્ર ચેતન હોય. અને આપણે અહીં અક્રમમાં મિશ્ર ચેતન હોય ખરું પણ એ જ્ઞાન પછી કામ ના કરે અને ત્રીજું, નિશ્ચેતન ચેતન હોય. શુદ્ધ ચેતન, મિશ્ર ચેતન અને નિશ્ચેતન ચેતન બહાર જગતને છે. તમારે શુદ્ધ ચેતન અને નિશ્ચેતન ચેતન બે જ છે.
પ્રશ્નકર્તા : એટલે મિશ્ર ચેતન નહીં પણ નિશ્ચેતન ચેતન છે ?
દાદાશ્રી : હા, નિશ્ચેતન ચેતન છે. હરે, ફરે, કામ કરે, બોલે, હેંડે, ચિઢાય, ગુસ્સો કરે, સ્વાદ કરે, બધું કરે પણ તે નિશ્ચેતન ચેતન છે. એમાં ચેતન બિલકુલેય નથી. મિશ્ર ચેતનમાં (બિલીફ) ચેતન છે. એ બીજી ક્રિયા કરી શકે, આ નિશ્ચેતન ચેતન બીજી ક્રિયા ન કરી શકે. જે ડિઝાઈન છે, એ ડિઝાઈન પ્રમાણે જ ફરે. આ ડિઝાઈનની બહાર ના જઈ શકે અને મિશ્ર ચેતન અજ્ઞાન દશામાં ડિઝાઈનની બહાર ફેરવી નાખે.
પ્રશ્નકર્તા : શુદ્ધ ચેતન એનું એ જ ?
દાદાશ્રી : હા, અને તમારે નિશ્ચેતન ચેતન જોડે કામ લેવાનું છે, તે એની મેળે જોયા કરવાનું છે બસ. કારણ કે એ પોતે જ નિશ્ચેતન ચેતન છે. લક્ષણ ચેતન જેવા દેખાય પણ ચેતન નામેય નથી એમાં, મડદું કહે તો ચાલે. તમારે હવે શુદ્ધાત્મા સિવાય બીજો ભાગ રહ્યો એ બધો નિશ્ચેતન ચેતન. મિશ્ર ચેતન ઊડી ગયું.
પ્રશ્નકર્તા : મિશ્ર ચેતન ઊડી ગયું, નિશ્ચેતન ચેતન રહ્યું.