________________
(૪) મિશ્ર ચેતન
૧૩૫
પુદ્ગલના
માલિકી ભાવથી થાય ચાર્જ
પ્રશ્નકર્તા ઃ આ મિશ્ર ચેતન એ પોતે ચાર્જ છે કે મિશ્ર ચેતનમાંથી
ચાર્જ થાય છે ?
દાદાશ્રી : મિશ્ર ચેતન થયું તેથી...
પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ ઊભા થયા, એમાંથી પછી ચાર્જ થાય છે ને આખું ?
દાદાશ્રી : હા, એમાંથી, બીજા શેમાંથી ?
પ્રશ્નકર્તા : એટલે એ પોતે ચાર્જ સ્વરૂપ નથી ?
દાદાશ્રી : ના. એમાં કર્તા થાય તો થાય, કર્તા ના થાય તો ઊડી જાય. એમને એમ સૂકાઈ જાય બધું.
પ્રશ્નકર્તા ઃ આમ તો આ ક્રોધ-માન-માયા-લોભ એને પર પરિણામ કહ્યા છે ને ?
દાદાશ્રી : એ તો આમાં, મડદામાં પરિણામ.
પ્રશ્નકર્તા : એ ક્રોધ-માન-માયા-લોભ જે મડદામાં છે, એનો પણ કર્તાભાવ પોતાને થાય, તો ચાર્જ થાય ?
દાદાશ્રી : એનો માલિક થાય.
પ્રશ્નકર્તા : એનો માલિક થાય તો ચાર્જ થાય ?
દાદાશ્રી : ‘મને થાય છે' એમ કહ્યું એટલે વળગ્યું.
પ્રશ્નકર્તા ઃ અહંકારીનો એ માલિકીભાવ ?
:
દાદાશ્રી : અહંકારીનો, જે ‘હું’ છે ને તેનો.
પ્રશ્નકર્તા : ‘હું'નો માલિકીભાવ છે ?
દાદાશ્રી : હું અવળી જગ્યાએ બેસે એટલે પુદ્ગલનો માલિકીભાવ થાય અને હું સવળી જગ્યાએ બેસે તો પોતાના ગુણોનો માલિકીભાવ થાય.