________________
(૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ
સૂર્યને કંઈ લેવાદેવા નથી. આ વસ્તુ બીજી ભેગી થઈ તે એને લીધે છે. એ ખસેડી લો એટલે કશું નથી પાછું. હવે ખસે શી રીતે ?
૯૧
જેમ સૂર્યને લઈને જે આપણે ઊર્જા ઊભી કરીએ, તેનાથી બધું ચાલે. તેથી કંઈ સૂર્યએ ચલાવ્યું કહેવાય ? આરોપ સૂર્ય પર જાય ને, સૂર્યએ કર્યું આ ! એ રોંગ બિલીફ છે. બાકી એમાંથી તો આપણે પાવર ઊભો કર્યો. મૂળ સૂર્યનારાયણને તો એવું છે જ નહીં કે તું પાવર ઊભો કર કે જે કરવું હોય એ કર. એ કંઈ કહેતા નથી, ઓર્ડર નથી કરતા, કશુંય નહીં અને છતાં બધા ઉપયોગ થઈ શકે છે, પણ એ હાજરીથી જ કુદરતી રીતે થઈ જાય છે. એમને કોઈ ક્રિયા નથી. એમાં એમનું ઉદાસીનપણું છે. એવી રીતે આત્માના ઉદાસીનપણામાં આ જગત ઊભું થયું છે. એક અંશ પણ એમાં ચેતન નથી. જો અજાયબી ચાલી રહી છે !
સૂર્યની હાજરીમાં આપણે પાવર ઊભો કર્યો અને એ પાવરથી અહીં કંઈ મિશનરી કામ કરતી હોય, તે આપણે જાણીએ. એમની હાજરી હતી ફક્ત. પણ એ કામ કરે તે મિશનરી પોતે જ કરે છે. એટલે આ બધું લાગણીઓ-બાગણીઓ આ પુદ્ગલ જ કરે છે, ચેતનની ફક્ત
હાજરીથી.
તા કોઈ કર્તા, માત્ર મિકેનિકલ એડજસ્ટમેન્ટ
‘હવા’નો સ્વભાવ છે વાયા કરવાનો. એને એવું નથી કે મારે કોઈ જગ્યાએ ફુદરડીઓ ફેરવવી છે અને આ ‘લોકો’ ફુદરડીઓ (પવનચક્કી) ફેરવે, એનાથી ‘પાવર' ઊભો થાય અને પાવરથી ‘મશીનો’ કામ કરે. એવી રીતે આ પાવર ચેતન ઊભું થયું છે ને જગત ચાલ્યા કરે છે.
પ્રશ્નકર્તા : આ ફુદરડી ફેરવવાની જે પ્રક્રિયા બને છે એ વખતે એ ગોઠવણી ક૨ના૨ કોણ એમાં પાછું ?
દાદાશ્રી : મિકેનિકલ એડજસ્ટમેન્ટ. મશિનરીને મિશનરી ચલાવે છે અને મિશનરી ચાલે છે તેને મિશનરી પાછી ચલાવે છે. બધું મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે આ. ચેતનને હાથ કશો ઘાલવો જ નથી પડતો.