________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
છે કે ચેતન આવું જ હોય. ભાવ, સંકલ્પ-વિકલ્પ કર્યા વગર રહે જ
નહીં.
૭૨
ભાવકર્મ એટલે તો વ્યવહાર આત્માનો સંકલ્પ કર્યો, વિકલ્પ કર્યો કહેવાય. ચેતનની સ્ફૂરણા થઈ એમાં, એટલે પેલામાં પાવર પેઠો, પુદ્ગલમાં. પુદ્ગલ પાવરવાળું થયું. હવે જ્ઞાન લીધા પછી એ ભરાય નહીં ને જૂની બૅટરી છે તે ડિસ્ચાર્જ થયા કરે.
પોતે જ્ઞાનમાં જોયો ‘મૂળ'તે થયા સ્થભિત
પ્રશ્નકર્તા : આપે અમને જ્ઞાન આપ્યું એ પહેલાં તો અમારો આત્મા, વ્યવહાર આત્મા હતોને ?
દાદાશ્રી : હા, બીજું શું હતું ત્યારે ? આ વ્યવહાર આત્મામાં રહી અને તમે મૂળ આત્માને જોયો. એને જોયો ત્યાંથી સ્થંભિત થઈ ગયા કે ઓહોહો ! આટલો આનંદ છે ! એટલે પછી એમાં જ રમણતા ચાલી. પહેલા રમણતા સંસારમાં, ભૌતિકમાં ચાલતી હતી.
પ્રશ્નકર્તા : તો જ્ઞાન પણ એને (વ્યવહાર આત્માને) જ થાય છે ? દાદાશ્રી : ભાન થાય છે, જ્ઞાન નથી થતું. એ ભાન જતું રહ્યું છે, એ ભાન થાય છે એને.
પ્રશ્નકર્તા ઃ એટલે એ ભાન પછી જ્ઞાન સુધી પરિણમે છે એવું ? દાદાશ્રી : થઈ રહ્યું, ભાન થયું એટલે ખલાસ થઈ ગયું. પ્રશ્નકર્તા : એટલે એને જ્ઞાનમાં જ આવી ગયું કહેવાય ?
દાદાશ્રી : પછી જેટલા માઈલ ઊંધો ચાલ્યો એટલા માઈલ પાછો આવે એટલે થઈ ગયો કમ્પ્લીટ, એકદમ.
પ્રશ્નકર્તા : એને કહ્યુંને ભાન આવ્યું કહેવાય, જ્ઞાન ના કહેવાય, તો ભાનમાં, દર્શનમાં અને જ્ઞાનમાં ફરક શું ?
દાદાશ્રી : એ ભાન તો દર્શનથી આગળની (પછીની) વસ્તુ છે.