________________
(૨) વ્યવહાર આત્મા
૫૧
દાદાશ્રી : છૂટો જ છે, બંધાયેલો નથી. વ્યવહાર આત્મા બંધાયેલો છે અને ખરેખરો આત્મા બંધાયેલો નથી. વ્યવહારમાં તમે ઉપયોગમાં લો છો એ બંધાયેલો છે.
અને જેને આત્મા તમે કહો છો ને, જગતના લોકો કહે છે એ વ્યવહારિક આત્મા છે. વ્યવહાર આત્મા છે એ સાચો આત્મા હોય. વ્યવહાર આત્મા ને નિશ્ચય આત્મા એમ બે છે. એમાં નિશ્ચય આત્મા રિયલ છે, એક્ઝક્ટલી છે, ચોખ્ખો જ છે અને વ્યવહાર આત્મા કર્મો સહિત છે.
દેખાયો દર્પણમાં વ્યવહાર આત્મા પ્રશ્નકર્તા : એટલે નિશ્ચય આત્મા અને વ્યવહાર આત્મા બે જુદા
પડે છે ?
દાદાશ્રી : મૂળ આત્મા, નિશ્ચય આત્મા છે, તેમાં કશો ફેરફાર છે નહીં. નિશ્ચય આત્મા જેવો છે તેવો જ છે અને તેના અંગે વ્યવહાર આત્મા ઊભો થયેલો છે. જેવી રીતે આપણે અરીસા સામા જઈએ ત્યારે બે ચંદુભાઈ દેખાય કે ના દેખાય ?
પ્રશ્નકર્તા : હા, બે દેખાય.
દાદાશ્રી : જેમ અરીસા પાસે જઈએ તો બહાર તુંય દેખાઉ ને મહીં ચંદુભાઈયે દેખાય. દેખાય કે ના દેખાય ?
પ્રશ્નકર્તા ઃ દેખાય, જુદા છે. દાદાશ્રી : શું જુદાઈ છે ? પ્રશ્નકર્તા : જોનારો અહીં બહાર છે, અરીસામાં નથી. દાદાશ્રી : એવું તું બોલું તો પેલોય એવું બોલે. કોનું સાચું માનવું? પ્રશ્નકર્તા: ત્યાંય જુએ જ છેને દર્પણમાં, એ પણ હું જોઉં છું. દાદાશ્રી : એ બરોબર છે. આ જે બહાર છે તે કયો આત્મા? એ