________________
ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષટુ સ્થાનકમાંહી, વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઇ; ૧૨૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર ધ્યાન; ૧૨૯ જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદો નહિ આત્માર્થ; ૧૩) નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય, નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય; ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ; ૧૩ર ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર, ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર; ૧૩૩ આગળ જ્ઞાની થઇ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય; ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય; ૧૩૫ ઉપાદાનનું નામ લઇ, એ જે તજે નિમિત્ત, પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત; ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ, તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ; ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુઘટ વિષે, એહ સદાય સુજાગ્ય; ૧૩૮
ન પ્રાર્થના પિયુષ ૪૬ |