SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. કવિ શ્રી વિજયધર્મધુરંધરસૂરિ કૃત કયવન્ના સજ્ઝાય પ્રસ્તુત પ્રકાશિત સજ્ઝાયના રચયિતા શ્રી નેમિસૂરિજીના સમુદાયના શ્રી વિજયઅમૃતસૂરિજીના વિદ્વાન શિષ્ય શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી છે. આચાર્યપ્રવર ધર્મધુરંધરસૂરિજીએ ‘‘ઈન્દુદૂત' પર ટીકા રચી છે. કુલ છ કડી પ્રમાણ આ સજ્ઝાયમાં કવિ ગુરુ પરિચય કે રચના સંવત સંબંધી મૌન છે પરંતુ ‘સ્વાધ્યાય રત્નાવલી ખંડ- ૧’પૃ.-૫૧ ઉપર, રચના સં. ૨૦૦૫, આસો સુદ- ૧૧ મુદ્રિત છે. આગવી વિશેષતા છે. ૪૬૨ અત્યંત સંક્ષિપ્ત શૈલીમાં કૃતપુણ્ય શેઠનું સંપૂર્ણ કથાનક સુંદર રીતે ગૂંથાયેલું છે, જે આ કૃતિની ટૂંકાણથી લખાયેલ હોવાથી પ્રસ્તુત કૃતિમાં ઉપમા આદિ અલંકારો નથી. વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકારથી આ સજ્ઝાય કવિશ્રીએ મઠારી છે. ૧૬. અજ્ઞાત કવિ શ્રી કૃત કયવન્ના સજ્ઝાય એક ઢાળ, એક ચોપાઈ અને ચાર દુહામાં ગૂંથાયેલી આ સજ્ઝાય એકાવન કડીમાં આલેખાયેલી છે. ઢાળમાં દેશીનો પ્રયોગ થયો નથી. પ્રસ્તુત સજ્ઝાયની ભાષા ૧૫મી સદીથી જૂની હોય તેવું જણાતું નથી. આ સજ્ઝાય સરળ પ્રવાહી ભાષામાં અતિ સંક્ષેપમાં રચાઈ હોવાથી વર્ણનો અને અલંકારોની પ્રાય: ગૌણતા રહી છે. ઉપમા અલંકારઃ ૧. ૧. ૨. 3. ૪. ૫. કથાઘટકોમાં પરિવર્તન: અભિસાગર નામના ધનવાન શેઠના પુત્રનું નામ કૃતપુણ્ય હતું. (ઢા.૧, ૬.૨) કૃતપુણ્યની પરણેતર પૂણી કાંતિને ઘર ચલાવતી હતી. (ઢા.૧, ક.૫) માતા-પિતાના મૃત્યુના સમાચાર પત્ની દ્વારા સાંભળીને કૃતપુણ્યનું મન કેટલાક દિવસ સુધી ઉદાસ, ખિન્ન રહ્યું. (ઢા.૧, ક.૧૪) સાર્થના આવવાના સમાચાર મળતાં જ બન્ને સ્ત્રીઓ ત્યાં પહોંચી ગઈ. (ઢા.૧, ક.૩૧) કૃતપુણ્યની પત્નીએ થેલી હલાવી તો તેમાં લાડુ જોયા. તેમાંથી તેણે એક મોદક પુત્રને ખાવા માટે આપ્યો. (ઢા.૧, ક.33) ૧.જૈ.સા.સ.ઈ. પા-૯૪૦, પૃ.-૪૨૬ ચ્યારિ કલકલત્ર જિસી દેખિઈ રંભ (૨૦) મધુર સ્વભાવવાળી ચારે સ્ત્રીઓને રંભા જેવી સ્વરૂપવાન કહી છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy