________________ મૈત્રી ભાવના - સર્વ જીવો પ્રત્યે મૈત્રી ચિંતવવી, મારો કોઈ જ દુશ્મન નથી એમ ચિંતવવું, સર્વ જીવોનું હિત ઈચ્છવું. પ્રમોદ ભાવના - ઉપકારી તથા ગુણી જીવો પ્રત્યે, ગુણ પ્રત્યે, વીતરાગ ધર્મ પ્રત્યે પ્રમોદભાવ લાવવો. કરુણા ભાવના - અધર્મી જીવો પ્રત્યે, વિપરીતધર્મી જીવો પ્રત્યે, અનાર્ય જીવો પ્રત્યે કરુણાભાવ રાખવો. મધ્યસ્થ ભાવના - વિરોધીઓ પ્રત્યે મધ્યસ્થભાવ રાખવો. - મુખપૃષ્ઠની સમજણ - આપના જીવનમાં સમ્યગ્દર્શનનો સૂર્યોદય થાય અને તેના ફળરૂપઅવ્યાબાધ સુખસ્વરૂપ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય એજ ભાવના.