SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિભોજનનું પાપ કેટલું? તે કહી શકાય તેમ નથી, છતાં રત્નસંચય ગ્રંથમાં તે સમજાવવાનો પ્રયાસ કરેલ છે; જે નીચે મુજબ છે ૯૬ ભવ સુધી માછીમાર જીવોને સતત હણે તેટલું પાપ એક સરોવરને સૂકવવાથી થાય. (૯૬) ૧૦૮ ભવ સુધી સરોવર સૂકવીએ તેટલું પાપ એક દાવાનળ (આગ) સળગાવવામાં લાગે છે. (૯૬ X ૧૦૮ = ૧૦૩૬૮) ૧૦૧ ભવ સુધી દાવાનળ સળગાવે તેટલું પાપ એક કુવાણિજ્ય (કુંવ્યાપાર) કરવાથી લાગે છે. (૧૦૩૬૮ X ૧૦૧ = ૧૦૪૭૧૬૮) ૧૪૪ ભવ સુધી કુવાણિજ્ય કરે તેટલું પાપ કોઈને એકવાર ખોટું આળ આપવામાં લાગે છે. (૧૦૪૭૧૬૮ ૪ ૧૪૪ = ૧૫૦૭૯૨૧૯૨) ૧૫૧ ભવ સુધી ખોટું આળ આપવામાં જે પાપ લાગે છે તેટલું પાપ એકવાર પરસ્ત્રીગમન કરતાં લાગે છે. (૧૫૦૭૯૨૧૯૨ X ૧૫૧ = ૨૨૭૬૯૬૨૦૯૯૨) ૧૯૯ ભવ સુધી પરસ્ત્રીગમનમાં જે પાપ લાગે છે તેટલું પાપ માત્ર એક વખતનાં રાત્રિભોજનમાં લાગે છે. (૨૨૭૬૯૬૨૦૯૯૨ X ૧૯૯ = ૪૫૩૧૧૫૪૫૭૭૪૦૮) ૯૬ X ૧૦૮ X ૧૦૧ X ૧૪૪ X ૧૫૧ X ૧૯૯ = ૪૫,૩૧,૧૫,૪૫,૭૭,૪૦૮ (આટલા માછીમારના ભવમાં જેટલું પાપ લાગે તેનાથી વિશેષ પાપ એક વખતના રાત્રિભોજનનું લાગે......) રત્નસંચય ગાથા ૪૪૭ થી ૪૫૧ -
SR No.009206
Book TitleSukhi Thavani Chavi
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherJayesh Mohanlal Sheth
Publication Year2014
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy