________________
તેને અનંત દુઃખોથી છૂટકારો મળતો નથી અર્થાત્ દરેકે એક માત્ર સિદ્ધત્વ અર્થાત્ જન્મ-મરણથી કાયમ માટેનો છૂટકારો ઈચ્છવા યોગ્ય છે. તેથી આવાં જન્મના ઉજવણાં ન હોય કારણ કે કોઈ પોતાના રોગને ઉત્સવ બનાવી, ઉજાણી કરતાં જણાતાં નથી. તેથી સાધકે અત્રે જણાવ્યા અનુસાર જન્મને અનંત દુઃખોનું કારણ એવો ભવરોગ સમજીને, જન્મ-દિવસ વગેરેની ઉજાણી કરવા જેવી નથી અર્થાત્ તે દિવસે વિશેષ ધર્મ કરવા જેવો છે અને એવી ભાવના ભાવો કે હવે મને આ જન્મ કે જે અનંત દુઃખોનું કારણ એવો ભવરોગ છે, તે ભવિષ્યમાં ક્યારેય ન હોજો! અર્થાત્ સાધકે એક માત્ર સિદ્ધત્વની પ્રાપ્તિ અર્થે અર્થાત્ અજન્મા બનવા અર્થે જ સર્વ પુરુષાર્થ લગાવવા જેવો છે. કોઈપણ પ્રત્યાખ્યાન-પચ્ચખાણ ધાર્યા પ્રમાણે, સીમંધર ભગવંતની સાક્ષીએ ત્રણ નમસ્કાર-મંત્ર ગણી લેવાં અને દરેક પ્રત્યાખ્યાન-પચ્ચખાણમાં અજાણપણાંના, અસમાધિનાં, તબિયત નિમિત્તે દવાનાં અને અન્ય કોઈપણ ઉપસર્ગના આગાર એમ ધારી રાખવું. કોઈપણ જાતના પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ પાળવાની વિધિજે (પ્રત્યાખ્યાનનું નામ બોલવું) પ્રત્યાખ્યાન-પચ્ચકખાણ કર્યા હતાં તે પૂરાં થતાં પાળું છું. સમકાએણં, ન ફાસિયં,
નિત્ય ચિંતન કણિકાઓ ૪૯