________________
its નવીન
*
*
*------
૨.
(૨૩૧) શ્રી પદ્મનંદિ પંચવિંશતિમાંથી
જિનવર દર્શન પ્રસ્તાવિક પદ્ય –
ધન્ય રે દિવસ આ અહો ! પ્રભુદર્શન આજ પમાય રે; સુધર્મ પ્રભાત પ્રગટ થતાં, દુઃખ સ્વપ્નની રાત્રિ ગમાય રે. ધ. મોહ અંધારે હું આથડો, વીત્યો રે કાળ અનંત રે; માર્ગદર્શક સત્ય ના મળ્યા, દીઠા નહિ ભગવંત રે. ધ. મારું મારું પરને ગમ્યું, ધરી વેશ અનેક પ્રકાર રે;
ત્રિવિધ તાપમાં હું બળ્યો, ટળ્યો નહિ અહંકાર રે. ધ. ૪ ભીડભંજન ભગવંત તું, ગ્રહું શરણ અનન્ય રે;
ચરણકમળમાં રાખજો, ગુરુકૃપા કરે ધન્ય રે. ધ. જ્ઞાન અનંતાનંત તુજ દર્શન મોક્ષસ્વરૂપ રે;
અચળ અનંત છે શક્તિ તુજ, મુજ લક્ષ રહો એ રૂ૫ રે ધ. તારાં દર્શનથી જિનરાજ રે સર્યા સર્યા મારાં સહુ કાજ રે; ભમ્યો અંધ બની ભવ માંહિ રે, કાળ અનંત, પામ્યો ન કાંઈ રે ૧ તારાં દર્શનથી જિનરાજ રે, મારાં નયન સફળ થયાં આજ રે; શીઘ્ર શીતળ તન મન થાય રે, જાણે આજ અમૃત વરસાય રે. ૨ તારાં દર્શનથી જિનરાજ રે, ટળ્યાં મોહ-પડળ મુજ આજ રે, વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે, હતું તેવું દીઠું મેં અનૂપ રે. ૩ તારા દર્શનથી જિનરાજ રે, ઉર આનંદ આજ ન માય રે; હવે આત્મા ન ઈચ્છે કાંઈ રે, જાણે મુક્ત થયો હુ આંહિ રે ૪ તારા દર્શનથી જિનરાય રે, મારાં મહા પાપોય પળાય રે; રવિ ઉગ્ય ન લાગે વાર રે, જય રાત્રિતણો અંધકાર રે. ૫