SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પર છે .. ૧૮ ૧૯ (૨૩૦) એ દુઃખ વ્યાધિ સંકટો કે દેહ પણ મારાં નહીં, તે જાય કે રહે તોય હાનિ,લાભ મુજને છે નહીં; મારું સ્વરૂપ યથાર્થ તો જ્ઞાની ગુરુએ જાણિયું, તેવું જ છે ચૈતન્યમૂર્તિ શુદ્ધ બુદ્ધ પ્રમાણિયું. શરણે રહી ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ તણા, પ્રગટાવું હું મુજ શુદ્ધ આત્મા,સિદ્ધ સમ, ત્યાં ના મણા; છે જન્મમૃત્યુ વ્યાધિ આદિ, દેહને, મુજને નહીં, તે જાણનારો, તેથી ન્યારો, અમર આત્મા હું સહીં. એ શુદ્ધ આત્મદશા મને, પ્રગટે ન પૂરણ જ્યાં સુધી, ગુરૂદેવ શ્રી સહજાત્મ પ્રભુનું શરણ તજું ના ત્યાં સુધી; ઐશ્વર્ય અનુપમ જ્ઞાનીને જે પ્રગટ તે પ્રગટો મને, બીજુ કશું ચાહું નહીં, હો માત્ર જે જ્ઞાની કને. સંપૂર્ણ દર્શન જ્ઞાન સુખ શક્તિ અનંતી સ્વાત્મની, તે એક રૂચિ, ઈચ્છા, પ્રતીતિ, ભાવના પરમાત્માની; અભ્યાસ આતમભાવનાનો સતત આદરતાં ખરે, પ્રત્યક્ષ અમૃત પામીને પ્રાન્ત અમર પદ તે વરે. સત્સંગ-રંગે અંગ રંગી ભાવના-વૃદ્ધિ કરો, જ્ઞાનીતણી વાણી ખરે, અમૃત ગણી અતિ આદરો; તેમાં જ ચિત્ત રમાવતાં, એકાગ્રતા તેમાં ધરો, રાજેશ વચને જીવન રંગી, જીવન્મુક્તિ સુખ વરો. ૨૦ ૨૨
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy