________________
(૨૨૯)
કરવાં ન કરવાં વ્રતનિયમ, અધિકાર છે એ આપનો, પ્રકૃતિ છે એ કર્મની, ના મહત્તા એની જ ગણો; ‘શ્રીમદ્ કૃપાળુ જ્ઞાની સાચા,' વચન મુજ એ માનજો, જો એક શ્રદ્ધા એ થશે, સમકિત-સિદ્ધિ માણજો. દેહાત્મબુદ્ધિ દૂર કરવા, આત્મવૃત્તિ ઉગાડવા, અદ્ભુત બ્રાહ્મીવેદના, ઉર રોમ રોમ જગાડવા; સંસાર–ક્લેશ સમસ્ત ખોવા, શાંતિ શાશ્વત પામવા, અમૃતરસ રેલાવતા, રાજેશ રોજ ઉપાસવા.
રે
એ શુદ્ધ આત્મદશા અહો ! એ જીવનમુક્તિ સુખ કહો, વીતરાગતા, સહજાત્મતા, ઈત્યાદિ નામ અનેક હો; ઐશ્વર્ય આત્મિક પ્રગટ પ્રગટાવ્યું પ્રભુ જયવંત હો ! તરણ-તારણ ધર્મ-ધારણ, સિદ્ધિ-કારણ ઉર રહો. દિવ્ય જ્ઞાની ધારિયા, એક એ નિર્ધારિયા; મુક્તિ સુખે વિરાજતા, સહાત્મરૂપે રાજતા. આત્માને ખરે ઉપાસતા,
જેણે હૃદય મંદિરમાં, એ શ્રદ્ધા પ્રતીતિ ભક્તિભાવે તેણે અનંતા સિદ્ધ જે; તે સર્વને હ્રદયે ધર્યાં,
શુદ્ધ
એ ભાગ્યશાળી, સહાત્મને ભજતાં સદા, સહજામતા પ્રગટાવતા; એવા રૂડા જીવો ઘણા, જે સત્યને વળગ્યા અહો ! તે દેખતાં ઉર ઉલ્લસે, નિવૃત્તિ માર્ગ ભલો ગ્રહ્યો. એ પકડ અંતરમાં હવે, અત્યંત નિશ્ચળ ધારવી, પ્રારબ્ધ ઉદયે દુ:ખ આવે, તોય એ ન વિસારવી; આવે ભલે વ્યાધિ મહા, સંકટ વિકટ આવે ભલે, આ દેહ છૂટે તો ભલે પણ પ્રતિત આ કદિ ના ચળે.
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭