SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૯) કરવાં ન કરવાં વ્રતનિયમ, અધિકાર છે એ આપનો, પ્રકૃતિ છે એ કર્મની, ના મહત્તા એની જ ગણો; ‘શ્રીમદ્ કૃપાળુ જ્ઞાની સાચા,' વચન મુજ એ માનજો, જો એક શ્રદ્ધા એ થશે, સમકિત-સિદ્ધિ માણજો. દેહાત્મબુદ્ધિ દૂર કરવા, આત્મવૃત્તિ ઉગાડવા, અદ્ભુત બ્રાહ્મીવેદના, ઉર રોમ રોમ જગાડવા; સંસાર–ક્લેશ સમસ્ત ખોવા, શાંતિ શાશ્વત પામવા, અમૃતરસ રેલાવતા, રાજેશ રોજ ઉપાસવા. રે એ શુદ્ધ આત્મદશા અહો ! એ જીવનમુક્તિ સુખ કહો, વીતરાગતા, સહજાત્મતા, ઈત્યાદિ નામ અનેક હો; ઐશ્વર્ય આત્મિક પ્રગટ પ્રગટાવ્યું પ્રભુ જયવંત હો ! તરણ-તારણ ધર્મ-ધારણ, સિદ્ધિ-કારણ ઉર રહો. દિવ્ય જ્ઞાની ધારિયા, એક એ નિર્ધારિયા; મુક્તિ સુખે વિરાજતા, સહાત્મરૂપે રાજતા. આત્માને ખરે ઉપાસતા, જેણે હૃદય મંદિરમાં, એ શ્રદ્ધા પ્રતીતિ ભક્તિભાવે તેણે અનંતા સિદ્ધ જે; તે સર્વને હ્રદયે ધર્યાં, શુદ્ધ એ ભાગ્યશાળી, સહાત્મને ભજતાં સદા, સહજામતા પ્રગટાવતા; એવા રૂડા જીવો ઘણા, જે સત્યને વળગ્યા અહો ! તે દેખતાં ઉર ઉલ્લસે, નિવૃત્તિ માર્ગ ભલો ગ્રહ્યો. એ પકડ અંતરમાં હવે, અત્યંત નિશ્ચળ ધારવી, પ્રારબ્ધ ઉદયે દુ:ખ આવે, તોય એ ન વિસારવી; આવે ભલે વ્યાધિ મહા, સંકટ વિકટ આવે ભલે, આ દેહ છૂટે તો ભલે પણ પ્રતિત આ કદિ ના ચળે. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy