________________
દિન
3
sal 1** * * * *
* *
*
(૧૭) પ્રીતમદાસનો કક્કો
કક્કાનું મહાતમ ઈડરના એક મુમુક્ષુભાઈએ લખાવેલું -
* શ્રીજીએ શ્રીને ઈડરમાં પૂછ્યું હતું કે “કક્કો તમને યાદ છે ?” શ્રી પાસે પુસ્તક હતું નહીં પણ તે મુમુક્ષુ ભાઈ પાસે કાવ્યદોહન હતું તે તેમણે શ્રીને લાવી આપ્યું. આ હકીકત સાંભળીને તે ભાઈ ઘણાને કક્કો વાંચવાનું કહે છે.
કક્કા સંબંધી તે ભાઇને એવું માહાભ્ય રહી ગયું છે કે તે કક્કા સંબંધી ઘણાને પૂછે છે. એક સાધુ બહુ જ્ઞાનની વાત કરતા હતા ત્યારે તે ભાઈએ પૂછ્યું કે તેઓ કક્કો ભણ્યાં છે કે નહી ? સાધુને આ સાંભળી કંઈ ખોટું લાગ્યું. પછી જ્યારે તે ભાઈએ કક્કો વાંચી સંભળાવ્યો ત્યારે સાધુ કહેવાનું સમજી ગયા ને તેમનું લક્ષ ફરી ગયું.
શ્રીએ બોધમાં કક્કા સંબંધી કહેલું :
“શ્રીજીનો બોધ થયા પછી વાદળાં ફાટે ને પ્રકાશ પડે તેમ પછી બધું સમજાયું - આસ્થા થયા પછી પ્રીતમદાસનો કક્કો પણ જ્ઞાનનું સાધન થઈ પડ્યું.”