________________
(૧૫૮)
می
શ્રી પદ્મનંદિમુનિ વિરચિત
પદ્મનંદિ પંચવિંશતિ માંથી
આલોચના અધિકાર
ગુજરાતી અવતરણ (હરિગીત)
પ્રસ્તાવિક પદ્ય
બહિરાત્મભાવે હે ! પ્રભુ, થયું ભ્રમણ ભ્રાંતિમાં ઘણું, ઇન્દ્રિય ખાડીમાં ખુંચ્યો, જળ ડહોળું જ્યાં વિષયોતણું; કાદવ કષાય ગળા સુધી-કંટાળતાં પણ ના ટળે, સ્વચ્છંદ સાથી મોહનો પુરુષાર્થ-પ્રેરક પણ કળે. પરિગ્રહતણાં ધરી પોટલાં, માથે ડુબ્યા બહુ બાપડા, તારાતણું અભિમાન ધરનારા અહિં બહુ આથડયા; તરવા જતાં તળીએ જતા, પાણી પીતા ને ડુબતા, વળી તારવા પડનાર અજ્ઞાની ઘણા ખાતા ખતા.
તેથી
આગ્રહ-ગ્રાહ કને જતાં, મુશ્કેલ છૂટવું, મતમતાંતર-મચ્છનું જ્યાં ગચ્છ-પુચ્છે ગર્જવું; પેઠા પછી જો નીકળે બળવાન તે કળિમાં કહું, મિથ્યાત્વથી જ્યાં મોજ માણે પુણ્યકાળે જન સહુ.
સંસાર દરિયો દુ:ખનો, પણ મોહ ભૂલવી રીઝવે, કારણ ઉપાસે દુ:ખનાં તો દુ:ખ આખર મુંઝવે;
સંસાર શોભા ઝેર તોયે, ઈચ્છા કરી
ઉપાસતાં,
૧
૨
૩
જીવ અમૃત જો ગણે, પરિણામ પામે વિષપણે ૪