________________
(૧૫૯)
આ મોહ ને અજ્ઞાનથી, મૂકાવનારા આપ છો,
શત્રુ-શિરો કાપજો; કરું એ યાચના, ઉચ્ચરૂં આલોચના.
કરુણા કરી સદ્બોધ ખડ્ગ, અમૃત વાણી આપની, પીધા
વળી આપના ચરણે વસીને
૧ મંગલ પ્રાર્થના
હે ગુરુરાજ ! તમે જાણો છો સઘળું, છોરુ અમે તો તમારાં, બાંહ્ય ગ્રહી હવે શરણે રાખો, પાપ પ્રજાળો અમારાં; શક્તિ નહીં કંઈ કરી શકવાની, જ્ઞાન નથી બળવાળું, આ કળિકાળમાં નામ તમારું, કલ્યાણ કરો અમારું. હે ! ગુરુરાજ.
૨ પ્રભુ સ્મરણનો પ્રભાવ
આનંદસાગર પ્રભુ, આપ અનુપમ, તત્ત્વ સ્વરૂપ તમારું, સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રે, ચિત્ત વહે જો અમારું; આપના નામની સ્મૃતિરૂપી જે, મંત્ર અનંત પ્રભાવી, _હોયે સજ્જનના વિમલ હૈયે તો વિઘ્ન શકે કેમ આવી ?
હે ! ગુરુરાજ.
૩ સંતનો આદર્શ
સંગ તજી, રાગ તજી, સમતા સજી, પ્રભુ કર્મોનો નાશ કરીને, જ્ઞાતા દૃષ્ટા થયા વિશ્વ સકળના સુખ વીર્ય અનંત વરીને, સંસાર ત્યાગ કર્યો આવા ક્રમે તમે, શુદ્ધ સ્વભાવી બનીને, તેથી તવ ચરણકમળની સેવા સંતોએ પ્રિય ગણી છે. હે ! ગુરુરાજ.
પ્