SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ *** બધું કરવા દોડી ના જાવ, થોડું પણ ખંતથી કરો. દસ જગ્યાએ ખાડા ખોદીએ તો પણ પાણી ના નીકળે. માતુષ મુનિ : રોજ સવારથી સાંજ દરેક પોરિસીમાં એક જ કામ કરતા. ૩૧ અને મા તુષ’ ગોખે, અર્થથી આત્માને ભાવિત કરે. ૧૨ વર્ષ સુધી રોજના ૫ પ્રહર આ જ ગોખતા. ‘મા હિરાનો વેપારી હિરાઓનું સોર્ટીંગ કરે ત્યારે કેવી સ્થિરતા હોય ? નોટ ગણીએ ત્યારે કેવી સ્થિરતા હોય ? આવી જ સ્થિરતા વાચના લેતાં, શબ્દો-શબ્દોના અર્થમાં, રહસ્યમાં, ઊંડાણમાં, અંતરગ ધ્વનિમાં બધે આંતરિક જોડાણ થાય. * સરોવરનું પાણી પીવાની બધાને છૂટ છે પણ ડહોળવાની છૂટ નથી. પ્રશ્નો વિવેકથી પૂછવા જોઈએ, સભામાં ખલેલ ના થવા દેવાય. નમસ્કાર ત્રણ પ્રકારના હોય છે : ܀ તારક તીર્થંક૨ને કરેલા નમસ્કારનું સામર્થ્ય આપણી કલ્પના બહારનું છે. ૧. ઈચ્છાયોગનો નમસ્કાર સાતિચારી ચારિત્રીનો નમસ્કાર.* ૨. શાસ્ત્રયોગનો નમસ્કાર છઢે કે સાતમે ગુ. રહેલ નિરતિચારીને હોઈ શકે. ૩. સામર્થ્યયોગનો નમસ્કાર ક્ષપક શ્રેણિ મહાત્માઓનો નમસ્કાર. *શ્રુત શાસ્ત્રમાં કહ્યાં મુજબ કરવાની ઈચ્છાવાળા એવા જ્ઞાનીનો પણ પ્રમાદને કારણે જે સંપૂર્ણ ધર્મયોગ હોય તેને ઈચ્છાયોગ કહેવાયો છે. શાસ્રકાર શિરોમણિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજે ‘યોગબિંદુ’માં લખ્યું છે : મિત્ર પ્રત્યેસ્તુ યન્ત્રાવો મોક્ષે વિત્તું મને તનુઃ । જેણે રાગ-દ્વેષની ગ્રંથિ ભેદી હોય તેનું તન ભલે સંસારમાં હોય પણ એનું મન તો મોટે ભાગે મોક્ષમાં જ હોય. જે ‘પ્રિયધર્મી’ છે તેને પૈસો, પરિવાર, પત્ની, સ્વજનો, સંસારની પ્રવૃત્તિ, પહેરવું-ઓઢવું, દર-દાગીના, બંગલા-બગીચા આ બધું ન ગમે. પ્રિયધર્મીની આ જ દશા હોય. તેને ધર્મ જ ગમે. ****************** 899 ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy