SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષતા-હોશિયારી, શિરે આવેલ કાર્યો શીઘ્રતાથી કરવા, વિના વિલંબે કાર્ય કરવાની હોશિયારી. આલસ્ય-દક્ષ નથી જે તેવી વૃત્તિ. આ જ પ્રમાણે દક્ષ કે આલસ્યમ્ય જીવો સારાનું વિવેચન ભગવાને જયંતી શ્રાવિકાના પ્રશ્ન, “દક્ષ સારા કે આળસુ?'ના ઉત્તરમાં સમજાવ્યું. સારાંશ : ઘર્ષે ચાળે સહીવારે, પુષે પવિત્રફળ | सर्वेषां हितकार्ये च दक्षो जनः प्रशस्यते ।। जिनाज्ञा पालने चैव गुरोः ऋणाद्विमोचने । वैरत्यागे दयादाने दक्ष जनः प्रशस्यते ।। પ્ર. જયંતી શ્રાવિકોનો અંતિમ પ્રશ્નઃ શ્રોત્રેજિયને વશ પડેલા જીવો ક્યું કર્મ બાંધે? ઉ. હે શ્રાવિકે, તેઓ શિથિલ બાંધેલા સાતે કર્મોને દઢ બંધનવાળા કરીને અનંત સંસારમાં પરિભ્રમણ કરનારા થાય છે. સમ્યકજ્ઞાની લગામ અને સમ્મચારિત્રી ચાબુક વિના ઈન્દ્રિયોના થોડા મોહરૂપી મદીરાપાનથી છકીને પાગલ જેવા બની જાય છે. સંસારનાં અનંતાનંત જીવો કરતાં કર્મેન્દ્રિય પ્રાપ્ત પંચેન્દ્રિય જીવોની સંખ્યા થોડી જ હોય છે. અગણિત પુણ્યકર્મોને લઈને જીવાત્માને કણેન્દ્રિય પ્રાપ્ત થાય છે. જેનાથી તે પંચેન્દ્રિય સંજ્ઞાથી સંક્ષિત બને છે. ઈન્દ્રિયોને વશવર્તી આત્મા કોઈપણ કાળે કષાય વિનાનો હોઈ શક્તો નથી. વિચારીએ કે : ૧. મેળવેલું આ શરીર ભાડાના મકાન જેવું છે. માટે ગમે ત્યારે બદલવું જ પડશે. ૨. જે મારું નથી એનો મોહ શાને? ૩. આ શરીર અશુચિઓથી ભરપૂર, એને બધી રીતે સમજાવ્યા બાદ નાશ જ પામવાનું છે. ૪. લોહીના સંબંધ ધરાવનારા માતા-પિતા હળવેરી બની શકે પરંતુ તીર્થકર દેવો, ગણધરો, આચાર્યો, નિત્ય શ્રેયસ્કર હોય છે. =================K ૪૦૭ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy