SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રીય વચન છે કે, મોહનીયકર્મના ઉદયકાળમાં તથા ઉદીકરણકાળમાં ઉત્તર કર્મો એટલે નવા કર્મો બંધાતાં જ હોય છે. જેમ બીજતત્ત્વ નાશ પામેલું ના હોય તો અંકુરો પ્રતિ સમયે ઉત્પન્ન થતાં જ રહે છે. જ જીવોના જેવા અધ્યાવસાયો તેવા જ પુદ્ગલો કર્મરૂપે પરિણામે અને પુદ્ગલોનો જેવો ઉદય હોય છે, તેવી પરિણતિ પણ. પ્ર. ગૌતમસ્વામીએ પૂછ્યું કે, કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીય આદિ કર્મો બંધાય? જ. જવાબમાં ભગવાને ફરમાવ્યું કે, હે ગૌતમ! રાગ અને દ્વેષ આ બે કારણોથી કર્મ બંધાય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ રાગ-દ્વેષથી જુદા નથી. ચારેય કષાયોનો રાગ-દ્વેષમાં સમાવેશ થઈ જાય છે. સંગ્રહનય : ક્રોધ, માન - દ્વેષરૂપ લોભ અને માયા- રાગરૂપ સમસ્ત વસ્તુઓનું એકીકરણ છે. પૂ. અ. વા. વન. એકેન્દ્રિય જીવો છે. વ્યવહારનય : માયા, ક્રોધ, માન - દ્વેષરૂપ લોભ - રાગરૂપ જુસૂત્રનય : વર્તમાન સ્થિતિને જ સ્વીકારે. ક્રોધ-પરના વિનય સમયે દ્વેષરૂપ ક્રોધ-પરના ક્રોધ સમયે રાગરૂપ માન-પારકાના ગુણો સમયે દ્વેષરૂપ માન-અહંકાર પુષ્ટિ સમયે રાગરૂપ માયા-પરને ઠગવા સમયે દ્વેષરૂપ માયા-પરનું ગ્રહણ સમયે રાગરૂપ લોભ-શત્રુના અસ્વીકાર સમયે દ્વેષરૂપ લોભ-રાગરૂપ. શબ્દનયઃ શબ્દને મહત્ત્વ આપે. ક્રોધ અને લોભનો સમાવેશ માન અને માયામાં થઈ જાય છે. પરનો ઉપઘાત કરનાર લોભ હોય તો દ્વેષ અને મૂર્છારૂપ લોભ હોય તો રાગ. આ જીવાત્માનાં પ્રતિ પ્રદેશે ૪ ઘાતી કર્મોની રજ ચોંટેલી છે. તે બધાય જીવોને તે કર્મો વેદવા જ પડે છે. (ક્ષીણઘાતી કેવળી સિવાય) - આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મો સંસારના ચરમ સમય સુધી કેવળી ભગવંતોને પણ વેદવા પડે છે.
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy