SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી સૂત્ર : આગમતું પાંચમું અંગ ૪૧ વિભાગો છે, જેને ‘શતક' કહેવાય છે. શતકનાં પેટા વિભાગને ‘ઉદ્દેશક' કહેવાય છે. આ ‘અંગ’માં ૧૦૦ અધ્યયનો છે. ૧૦,૦૦૦ ઉદ્દેશકો, ૩૬,૦૦૦ વ્યાકરણીય પ્રશ્નો અને ૨ લાખ ૮૮ હજાર પદો હતાં. ભગવતી સૂત્રમાં કેવળજ્ઞાનીને ગણધરે પૂછેલાં પ્રશ્નોનો સીધો સમાવેશ થાય છે. મુખ્ય પ્રશ્નકારો : ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામી), અગ્નિભૂતિ, વાયુભૂતિ, મંડિત પુત્ર, માકંદી પુત્ર, રોહક, જયંતી શ્રાવિકા તેમજ અન્ય તીર્થિકો અર્થાત્ અન્ય સંપ્રદાયિકો હતાં. મુખ્યત્વે સૂત્ર શ્રી ગૌતમ અને ભ. મહાવીરનાં સવાલ-જવાબરૂપ જ છે. ભગવતી સૂત્રનું પારાયણ પર્યુષણના દિવસો સિવાય થાય છે. ભગવતી સૂત્રમાં પ્રધાનતા ગણિતાનુયોગની છે. છતાં પણ તેમાં દ્રવ્યાનુયોગ, ચરિતાનુયોગ અને કથાનુયોગ પણ પૂર્ણ માત્રામાં જોવા મળે છે. ܀ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે, લોકસ્થિતિ (સંસા૨ મર્યાદા) આઠ પ્રકારની છે. (શતક-૧, ઉદ્દેશક-૬) * વાયુ આકાશને આધારે રહેલ છે. ઉદધિ (સમુદ્ર) વાયુને આધારે રહેલ છે. * પૃથ્વી ઉદધિને આધારે રહેલ છે. * જીવો (ત્રસ-સ્થાવ૨) પૃથ્વીને આધારે રહેલા છે. * અજીવો (જડ પ્રદાર્થો) જીવને આધારે રહેલા છે. * અજીવોને જીવોએ સંઘરેલા છે અને જીવોએ કર્મોને સંઘરેલા છે. આકાશ સર્વ વસ્તુઓનો આધાર હોવાથી આધાર વિનાનું છે. આકાશી જીવો ‘ખર’ ભાગની ઉપર તિછાલોકમાં રહે છે. ****************** 30 ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy