SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ.ભદ્રબાહુ સ્વામીજી “અધ્યયન' શબ્દની વ્યાખ્યા સહુપ્રથમ સમજાવે છે. બાપા” : અધ્યાત્મની પ્રાપ્તિ જેનાથી થાય તે અધ્યયન. અધ્યાત્મ' એટલે ? સરળ ભાષામાં : કર્ણરજથી મલિન આત્માનું શુદ્ધ સ્વરૂપ આત્મા તરફનું પ્રયાણ એ જ અધ્યાત્મ. અધ્યાત્મ : શુદ્ધ સ્વરૂપી આત્માની પ્રાપ્તિ જેનાથી થાય તે અધ્યાત્મ! અધ્યાત્મ આત્મામાં વિવેક પેદા કરે છે. વિવેકી માણસ હેય, ઉપાદેહનો ભેદ જાણે છે. વિવેકી જીવ આશ્રયનો નિરોધ કરી પછી પૂર્વકૃત કર્મોને શુદ્ધ કરવાનો પ્રયત્ન શરૂ કરી દે છે. પૂર્વ સંચિત કર્મોનો ક્ષય અને નવા કર્મ સંચયનો નિરોધ. આના મૂળમાં શ્રુતજ્ઞાન જ છે. માટે જ અધ્યાત્મ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે શ્રુતજ્ઞાનની ઉપાસના અને તત્ત્વની ભાવના અનિવાર્ય અંગ કહ્યું છે. યાદ રહે, જૈન શાસનમાં દરેક વ્યવહારમાં શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન કરતાંય વધુ પ્રમાણમાને કહ્યું છે. આજની વાત ‘ચિત્તશુદ્ધિ પ.પૂ.આ. જયઘોષસૂરિશ્વરજી મ.ની હિતશિક્ષાનો સારાંશ જ જો ચિત્તશુદ્ધિ હોય તો બ્રાહ્ય પરિબળોય શુભ મળે અને આંતરિક પરિણતિ પણ ઉજ્જવળ બને. શુભ નિમિત્તો, શુભ યોગો, શુભ ભાવનાઓ ચિત્તશુદ્ધિથી મળે તેમ તેમ અશુભ હોય તે બધુ અભ્યતર અને બાહ્ય બંને સ્તરે છૂટતું જાય. ચિત્ત વિશુદ્ધિથી અશુભ વિકલ્પો છૂટે જ પણ બાહ્ય ભૂમિકાએ આસનિમિતોથી પણ આત્મા દૂર રહે. * ચિત્તશુદ્ધિ શી રીતે મળે? શુદ્ધિઃ રચાત્ ઋતુમૂતરી – જે સરળ બને છે, જે નમ્ર બને છે તેને શુદ્ધિ મળે છે. સરળ બનવા માટે “અજ્ઞાન” અને “વક્રતા' બંને કાઢવા પડે. અજ્ઞાન સમર્પણથી જશે. અગીતાર્થ સાધુ પણ જો કોઈ ભૂલ કરે, અને એ જો ગીતાર્થને ===== =========kk ૩૭૩ -----------------*
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy