SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ >>>; ધારણ કરી, અંતિમ સમયે સંલેખના કરી અંતિમ શ્વાસોચ્છવાસ દ્વારા આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે. આ મહાત્માઓ ચરમ શરીરી હોય એ જ ભવમાં મોક્ષે જાય. અંતકાળે અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ધર્મદેશના દીધા વિના જ મુક્તિ મેળવી લે. અંતગડ સૂત્ર એટલે સંસારનો સંપૂર્ણ અંત કરાવતી અંતઃકરણની યાત્રાના અધ્યયનો. ચંપક શ્રેષ્ઠી : ‘અનુબંધ'ને સમજાવતું ખૂબ સરસ દૃષ્ટાંત. ધન્યપુર નગર, ચંપક શ્રેષ્ઠી ધર્મિષ્ઠ, વ્રતધારી શ્રાવક. દ૨૨ોજ પ્રતિક્રમણ,પર્વના દિવસે પૌષધ. ત્યારબાદ ગુરુ મહારાજને ભાત-પાણીનો લાભ દેવા વિનંતી. ગોચરીનો સમય થાય એટલે વળી વિનંતી કરવા જાય. ગોચરી વહોરે પછી ત્રિવિધ વંદના કરતો સાધુ જે ન વહોરે તે પોતે પણ ખાય નહીં. ચુસ્ત પણે આચારો પાળતો. અંતરના ઉમળકાથી સાધુ ભગવંતને વહોરાવતો. એક દિવસ સાધુને ઘી વહોરાવતાં ધારા પાત્રમાં પડે જતી હતી, ચંપક શ્રેષ્ઠી તન્મય હતો અને અનુત્તર વિમાનની ગતિનો બંધ બાંધી રહ્યો છે એમ જોઈ રહ્યા હતા. સ્વભાવ અંતે માણસનો, ભાવધારા તૂટી. પાત્ર ઘી થી ભરાઈ ગયુ જોયું. આ સાધુ છે કે કોણ? સમજતા લાગતા જ નથી, ના યે કહેતા નથી. તે આમ કેમ નીચે પટકાયા ? સાધુ બોલ્યા, શ્રેષ્ઠીને સમજ ના પડી. પૂછ્યું નીચે ? હું તો અહીં જ ઊભો છું. સાધુએ સમજણ આપી સોના જેવું દાન કરતા હતા ને લાંછન લગાવ્યું. દાન સમયે ભાવ ચડતા જ રહેવા દેવા જોઈએ. દેવલોકની ઉચ્ચ ગતિને અટકાવી બેઠા. ભયંકર પશ્ચાતાપ, ગુરુ પાસે આલોચના માંગી મૃત્યુ થતાં ૧૨મા દેવલોકે. દાનમાં કદી પણ અતિચાર ના લાગે નહીંતર સુખ અલ્પ જ મળે. પુણ્ય ના મળે પછી મોક્ષની તો વાત જ ક્યાં? ****************** 32€ ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy