SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ કષાય છે, શક્તિરૂપે છે. ૧૧મે ગુણસ્થાનકે સાધકના મનમાં રાગનો એક કણિયો પણ નથી. Inactive રાગથી કર્મબંધ થતાં નથી. આત્મશુદ્ધિ તો જ સમકિત પ્રાતિ સમકિત ક્યારે આવે? આત્મશુદ્ધિ થાય ત્યારે જ આવે. ચિત્તશુદ્ધિ થવાથી મન શાંત, સ્વસ્થ, નિર્મળ જરૂર બને પણ આત્મ કલ્યાણ ના કરી શકે. મન શાંત હોય પણ સંસારથી વિરક્ત ના હોય તો તે અધ્યાત્મહીન છે! આત્મશુદ્ધિ એટલે? વિકારોમાં દુઃખનું સંવેદન. વિકૃતિ મૂળમાંથી જાય તો જ આત્મશુદ્ધિનો અંશ આવે. માન્યતા રૂપે મન શુદ્ધ જોઈએ. જે વિષયોમાં દુઃખનો અનુભવ કરે તેને આત્મશુદ્ધિની લાયકાત છે. * ચિત્તશુદ્ધિ આત્મશુદ્ધિનું સાધન છે. દેહ, ઈન્દ્રિય, મન જુદા પાડ્યા પણ આત્મશુદ્ધિને હવે જુદી પાડવાની છે. કેટલી ગહન વાત છે. આત્મશુદ્ધિ થયા બાદ ચિત્તશુદ્ધિ (મન શાંત, સ્વસ્થ, નિર્મળ બને) તરત જ આવે એવો નિયમ નથી. વહેલા મોડું થાય! યુગલિક ચિત્તશુદ્ધિવાળા, દેવલોકે એક વખત જાય પછી? જ “નદી ધોલ પાષાણ ન્યાયથી શાંત સ્વભાવનાં કર્મો હળવા થાય છે. સગુણના વિકાસથી જ ચિત્તશુદ્ધિ થાય છે. દોષ પાતળા પડે છે. આત્મશુદ્ધિ માટે દોષ મૂખમાંથી જવા ઘટે! ક ઘટાદાર લીલા વૃક્ષમાં મૂળીયા પર પ્રહાર ન થાય. મોહના વિકારોને ખરાબ ના માન્યા, સંસાર ખરાબ ના માન્યો તો ચિત્તશુદ્ધિ ભલે હોય આત્મશુદ્ધિ હજુ થઈ નથી. મારો ભાઈ, મારું કુટુંબ આદિ મૂળિયા કપાયા નથી. * ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક ત્રણમાંથી કોઈપણ ભાવથી કરાયેલ મોહનીય કર્મનો રતીભાર નાશ, અંશથી આત્મશુદ્ધિ પ્રગટાવે છે. =================K ૩૦૧ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy