SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ܀ ܀ *** કર્મ ઉદયમાં આવે ત્યારે ‘હાય-વોય' નહીં.. ‘એમ જ હોય'ની સમજણ કેળવવાની છે. રસદાર ખાન-પાનથી સંસારીને મોઢામાં પાણી આવે એ જ ખાન-પાન જોઈ જ્ઞાનીની આંખમાં પાણી આવેદનીય અનાસક્ત ભાવની બલિહારી. ܀ પ્રશસ્ત ‘શમ’ ભાવ મર્દાનગી છે, પુરુષાર્થી બનવું ઘટે. રોગ આવ્યો. પૂર્વ કર્મ એમાં કારણ છે પરંતુ તેનો પ્રયત્ન જ ના કરે તો તેને ‘પ્રમાદ' જ કહેવાય. વિવેક.. વિવેક. વિવેક રાખવો પડે. નસીબ અજ્ઞેય છે - માણસનું કામ પુરુષાર્થ કરવાનું. કારણ? આત્માની સત્તા જ સર્વોપરી છે. કર્મવાદની સાચી સમજણ જ મનને સ્વસ્થ રાખે છે. ઉદ્યમ - પુરુષાર્થ કરતી વખતે. ઈચ્છિત ફળ મળતાં ફૂલાઈ ના જવાય, ફળ ના મળે તો ઉદ્વેગ પણ ના કરાય. જો કરીએ તો કર્મના કાયદાનું ઉલ્લંઘન કર્યું ગણાય. કોઈનાં ૫૨ આપત્તિ આવે તેને સત્વર મદદ ક૨વી જ જોઈએ. દરેક જીવ બીજાનાં સહકાર અને બીજાની સહાય ૫૨ જ જીવે છે! દાનની બાબતમાં ભાવ મુખ્ય ભાગ ભજવે છે. ભાવ શુભ યા અશુભ, તેવા જ તેના ફળ. વિવેકબુદ્ધિ જરૂરી છે. વિવેક ૧૦મો ભંડાર છે. વિવેો રશમો નિધિઃ : ૯ નિધિ નૈસર્પ : ગામ-નગ૨, પાંડુક ઃ નાનાં-મોટાં દ્રવ્યો, પિંગલક : આભૂષણો, સર્વરત્ન ઃ ચક્રવર્તીના ૧૪ રત્નો, મહાપદ્મ : વસ્ત્રો, કાળ ઃ બધી કળાઓનું જ્ઞાન, મહાકાળ : ૭ ધાતુઓ, સ્ફટિક વગેરે, માણવક : યુદ્ધનીતિ, દંડનીતિ, યોદ્ધાઓ, આયુધો, શંખક : સંગીત, વાદ્યો, નૃત્યની ઉત્પત્તિ વગેરે. કર્મબંધથી છૂટવા અણસમજને કા૨ણે નિષ્ક્રિય બને તે મૂઢતા છે. બહારથી નિષ્ક્રિય અને અંદરથી બધે જ ફરતો હોય. દંભનો ભોગ બને છે. પ્રવૃત્તિ ****************** 25€ ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy