SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ નાની ભૂલ કરીએ, હાડકા ભાંગે, અસર જીવનભર સહેવી પડે છે. તમારી શક્તિ હોય તે દ્રષ્ટિકોણથી વિચાર કરી મનને શાંત પાડવાથી થોડા સમયમાં ઘણાં કર્મો ભોગવાઇ જશે અને નવા કર્મો બંધાશે નહીં. અનુબંધ. સૂતાં પહેલા પરિણામ, વેશ્યા, અધ્યાવસાય વિશુદ્ધ કરીને સૂઓ. આશ્રવની ક્રિયા Natural phenomenon (કુદરતી ઘટનાક્રમ) છે. જીવ માત્ર માટે નિયમ 245 g 9. Conviction is Strength. આશ્રવમાં માનતા થઈ જાવ, જિંદગી સુધરવા માંડશે. એકલા કર્મને કારણ નહીં માનતા, ૫ કારણો ભેગા થાય ત્યારે જ કાર્ય થાય છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા (ભાગ્ય), પૂર્વ કર્મ અને પુરુષાર્થ. સંતોષ ક્યાં જરૂરી છે? સંસારમાં. પણ ધર્મમાં ક્યારેય સંતોષી બનીને બેસવાનું નહીં. ધર્મ કરતા જ રહો. જ્ઞાનીઓ કહે છે, બંધાતા કર્મમાં ઉદય વખતે જે નવું કર્મ બાંધવાની શક્તિ છે તેનું જ નામ છે “અનુબંધ.” જીવનમાં દુઃખ આવે - પાપ કર્મોનો ઉદય. જીવનમાં સુખ આવે - પુણ્ય કર્મોનો ઉદય. સામાન્યતઃ દુઃખ ના ગમે, સુખ ખૂબ જ ગમે. ઝંખના દુઃખ નિવારણની અને સુખપ્રાપ્તિની.. પરંતુ મળેલા માનવ જીવનની ખરી કિંમત દુઃખ નિવારણ કરતાં દુર્જનતા નિવારણમાં લાખો ગણી છે. (પુરુષાર્થ પ્રધાનતા) સુખ પ્રાપ્તિ કરતાં સજ્જનતાની પ્રાપ્તિમાં છે. (સુખમાં અનાસક્તિ) દુઃખ ના હોય પણ દુર્જનતાથી ભરેલા જીવનની કિંમત શું? પુણિયો શ્રાવક, સંગમ ઉર્ફે શાલીભદ્ર બાહ્ય રીતે સુખી નહોતાં પણ સજ્જનતાની ટોચે હતાં. પ્ર. દુર્જનતાને કઈ રીતે નિવારવી? જ. દુર્જનતાને લાવનાર કોણ છે? તેનું મૂળ તે છે પાપ કર્મનો અનુબંધ. સજ્જનતાને લાવનાર છે પુણ્ય કર્મનો અનુબંધ. =================^ ૨૪૨ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy