SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ **** * જ્યાં નવા કર્મો બંધાયા કરે તે દુર્ગતિ, જ્યાં ખૂબ બધા કર્મો નાશ પામે તે સદ્ગતિ. ܀ * દેવગતિના અને નારકોના જીવો ચોથા ગુણસ્થાનકથી આગળ જઈ ન શકે. તિર્યંચગતિના જીવો પાંચમાં ગુણસ્થાનકથી આગળ જઈ ન શકે. * સાત લાખ સૂત્રનો ક્રમ ગુણસ્થાનકને આધારે ગોઠવાયો લાગે છે. સમકિત સમકિત એટલે હૃદય પરિવર્તન, વિરતિ એટલે જીવન પરિવર્તન. હૃદય પરિવર્તન વગરનું જીવન ‘આભાસમય’ જ રહે છે, જીવન પરિવર્તન લાંબુ ન ટકે. ભગવાનની બધી જ વાતો માનો તો જ સમકિત નહીં તો મિથ્યાત્વ. સમકિત પામતાં પહેલા ૬ અવસ્થા પસાર કરવી પડે. ૧. દ્વિબંધક, ૨. સુકૃતબંધક, ૩. અપુનર્બંધક, ૪. માર્ગાભિમુખ, ૫. માર્ગપતિત, ૬. માર્ગાનુસારી. મોહનીય કર્મની ઉ. સ્થિતિ ૭૦ કો.કો.સા. બેથી વધારે વાર ન બાંધે તે દ્વિબંધક. મોહનીય કર્મની ઉ. સ્થિતિ એક જ વાર બાંધનારો તે સુકૃતબંધક. એક વા૨ બાંધ્યા બાદ ફરી મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ન જ બાંધે તે અપુનર્બંધક. હવે મોક્ષ માર્ગ તરફ નજર કરતો થાય તે માર્ગાભિમુખ. પછી મોક્ષ માર્ગ ૫૨ જઈને ઊભો રહે તે માર્ગપતિત. જ્યારે મોક્ષમાર્ગને અનુસરે ત્યારે તે માર્ગાનુસારી બને. ત્યાર બાદ જ સમકિતી બનાય. મોહનીય કર્મનું મિથ્યાત્વ મોહનીય કર્મ જ ૭૦ કો.કો.સા. સ્થિતિવાળુ બંધાઈ શકે છે. માટે જ મિથ્યાત્વ જેવો કોઈ દોષ નથી. ****************** 239 ******************
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy