SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સાચું જાણવું છે? સુધર્મા સ્વામી આર્ય જંબુ સ્વામીને સમજાવતાં કહે છે : બુદ્ધિની નિર્મળતા, હૃદયની સરળતા અને વિચારોની પરિપક્વતા વિના સાચું જાણવાની ઉત્કંઠા જાગતી નથી. સાચી સંપત્તિ તો નિષ્પરિગ્રહતા છે. જ્ઞાન-વિદ્યા એ જ સંપત્તિ છે. સમતાથી શ્રમણ થવાય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ થવાય. * જીવન કેવું જીવશો? એવું કે તમારા જીવતર માટે કોઈ જીવને પીડા ના થાય. જ માણસને બધાનું બધું જ સમજાય છે. માત્ર સ્વયંને સમજાતું નથી. સચ્ચાઈથી જે બચવા માંગે છે તે એક નવી ભૂલ કરવાની તૈયારી કરે છે. પ્રારબ્ધથી બધું જ મળી રહેશે. ધર્મ તો પુરુષાર્થથી જ મળશે. તાત્વિક વૈરાગ્ય વિના મોક્ષનો દરવાજો ખૂલતો નથી. અતઃ આત્મામાં જ સુખ છે એ તત્ત્વની અનુભૂતિ, પ્રતીતિ થયાનો પ્રારંભ એ જ તાત્વિક વેરાગ્ય. માતાનાં ત્રણ ગુણો ભગવતી સૂત્ર સાર, શતક ત્રીજું, ઉદેશક-૧૦, ભાગ-૧ ૧. જીવ માત્ર ઉપર દયાભાવ રાખવાની ઉદાત્ત ભાવના. ૨. જીવ માત્રને રોજી-રોટલી આપવાની પવિત્ર ભાવના. ૩. બધાએ જીવોના અપરાધોને માફ કરવાની પવિત્ર ભાવના. જ દેવ ગુરુનાં ગુણ ગાવાથી, વર્ણવાદ કરવાથી ઊચ્ચ ગોત્ર બંધાય છે, પરભવે ઉત્તમ કુળ અને મહાન ખાનદાનમાં જન્મ મળે છે. જ પ્રભુનાં ગુણ ગાવાથી સુસ્વર નામકર્મનો બંધ થાય છે. મંત્રમુગ્ધ અવાજ મળે છે માટે પ્રભુનાં ગીત-સ્તવન રચજો, ગાજો. ઉપાર્જન કરેલું બધું ઘટી જશે. પરંતુ આત્મામાં થયું સર્જન કદીયે વિસર્જન નહીં પામે. (હેવામાં સરળતા અને બુદ્ધિમાં નિર્મળતા જોઈશે.) જ સૂરજ ક્યારનોય ઊગી ગયો છે, તેના કિરણો આપણે ત્યાં આવવા રાજી છે. માત્ર આપણે બારણાં ખોલવાની વાર છે. પંચસૂત્રનો સાર સમજીએ.. =================^ ૧૬૧ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy