SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. સમાધિ : આત્માનું આત્મતત્ત્વ સ્વરૂપે પ્રગટ થવું. સર્વથા નિર્વિકલ્પ દશા, રાગાદિ સર્વ ઉપાધિભૂત ભાવોથી મુક્ત. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકરૂપતા. સર્વ પ્રકારનાં બહિર્ભાવોથી મુક્તિ તે સમાધિ. ચિત્તના ૮ દોષો ૧. ખેદઃ થાકી જવું. ધર્મની પ્રવૃત્તિ કરતાં કરતાં થાકી જવું. જ્યાં થાકની બુદ્ધિ ત્યાં દ્વેષ, અરુચિ, અપ્રીતિ, નાખુશી ભાવ આવે જ છે. ૨. ઉગ : કંટાળો, તિરસ્કાર. ધર્મની પ્રવૃત્તિમાં બેઠાં બેઠાં કંટાળો આવે, | તિરસ્કાર આવે. ક્યારે પૂરું થાય એવા ભાવ આવે. જલદી આટોપે, ગોટાળા વાળે તેને ઉગ દોષ કહેવાય. ૩. ક્ષેપ ઃ ફેંકવું. ચાલુ ક્રિયાને છોડી ચિત્તને બીજા કામમાં નાખવું. ધર્મક્રિયા ચાલુ હોય તે કાળે અન્ય ક્રિયામાં ચિત્ત જોડવું. ૪. ઉત્થાન : ચિત્તનું ઉઠી જવું. ક્રિયામાંથી ચિત્તને ત્યજી દઈ મોક્ષસાધક યોગમાર્ગની ક્રિયાઓનો ત્યાગ કરવાનો ભાવ. લોકલજ્જાથી ક્રિયા ના તજે પણ ચિત્ત તેમાં ન હોય તે. ૫. ભાઃિ ભમવું, ભટકવું, ભ્રમ થવો. યોગમાર્ગની પ્રસ્તુત ધર્મક્રિયા છોડી ચિત્તનું ભટકવું. ૬. અન્યમુદ્ ઃ પરમાર્થ સાધક યોગમાર્ગની ક્રિયા કરતાં અન્ય સ્થાને હર્ષ કરવો. ઈષ્ટ કાર્ય સાધવામાં અંગારાની વૃષ્ટિ તુલ્ય આ દોષ છે. ગઃ રોગ, રાગ (પ્રીતિ), દ્વેષ (અપ્રીતિ), મોહ (અજ્ઞાન). આ ત્રણ દોષ જ મહારોગ છે. ભાવ રોગ છે. સંસારવર્ધક ક્રિયાનો રાગ, મોક્ષસાધક ક્રિયાનો દ્વેષ અને યોગમાર્ગ સાધક સાચી ક્રિયાની અણસમજ, આ બધું ભાવસાધનામાં પીડારૂપ છે. આસંગઃ આસક્તિ થવી. પરદ્રવ્ય, પરભાવ પ્રત્યે આસક્તિ. મુક્તમાર્ગની સાધનાના અસંખ્ય ઉપાયો પૈકી એકમાં આસક્તિ, બીજા ઉપાયો પ્રત્યે ઉપેક્ષા પેદા કરે, ગુણસ્થાનનો વિકાસ રૂંધે.
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy