SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પાપસ્થાનકના સ્વાધ્યાયની Cassettes માંથી – પંડિત ધીરૂભાઈ કેવળજ્ઞાની સંસારથી મુક્ત રહી સાધુ જીવન જ ગાળે છે. કારણ સંસારમાં રહેવાથી બંધન નડે નડે ને નડે જ. બંધન વગરનું ક્ષેત્ર સર્વોત્તમ. ગૃહસ્થપણામાં કાયમ આરંભ સમારંભ હોય જ. તીર્થકરનું બતાવેલ સાધુપણું જ અહિંસક છે. સાધુપણું ન હોય તો તે પ્રત્યે પૂજ્યભાવ હોવો જોઈએ. ભવિષ્યમાં તારે અને ગુણાનુરાગથી કર્મ ખપાવે. મનના પરિણામ કર્મબંધમાં મૂખ્ય ભાગ ભજવે. ઉદા. શિકારી બાણ છોડે, પંખીને ન વાગે છતાં કર્મબંધ. છોકરાએ પત્થર ફેંક્યો, ન વાગ્યો છતાં કર્મબંધ. જ આપણી દૃષ્ટિ કેવી કહી? ઓઘદૃષ્ટિ સંસાર તરફની માટે, આત્મા તરફની દૃષ્ટિ તે યોગદષ્ટિ. (આત્મખોજ માટેની દૃષ્ટિ) કેવળજ્ઞાની ઉપસર્ગો સહન કેમ કરે છે? દુ:ખ આવે તે દોષ વગરનું હોય નહીં, દોષવાળાને દુઃખ આવ્યા વગર રહે નહીં. માટે સંસારમાં દુઃખ આવે ત્યારે આત્મખોજ (યોગદૃષ્ટિ) કરવી એનાથી નવા કર્મો ઓછા બંધાય. જ કષાયો ઃ ક્રોધને કાઢવો હોય તો ક્ષમા જોઈએ. ચંડાળ માનને કાઢવો હોય તો નમ્રતા જોઈએ. ચોકડી માયાને કાઢવી હોય તો સરળતા જોઈએ. લોભને કાઢવો હોય તો સંતોષ જોઈએ. કલ્યાણ ચોકડી આ સંસારનાં વિચારો કરવા એટલે આર્ત અને રોદ્ર ધ્યાન આત્માનાં વિચારો કરવા એટલે ધર્મ અને શુક્લ ધ્યાન. =================^ ૧૩૮ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy