SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ * ગુણસેન રાજા અને અગ્નિશર્મા તાપસ ૯ ભવ સુધી સાથે રહ્યા. ક્ષમાથી રાજા ફાવી ગયા, તાપસ દુઃખના ઊંડા ખાડામાં ગબડી ગયા. ક્ષમાના સાગર મહાવીર ભગવાનને પ્રાણાંત સંકટ આપ્યા છતાં ક્ષમા વડે વીરનું ભૂષણ જાળવ્યું છે. દેવી ઉપસર્ગો, આબરૂ વિનાનો ગોવાળીયો કાનમાં ખીલા નાખી સતાવી ગયો. શિષ્ય ગોશાલકે સામે પડી આલાપ કર્યા, ભગવાનનો ખુદ જમાઈ જમાલી સ્વયંને વધારે જ્ઞાની કહેતો ભરી સભામાં અને છતાં ભગવાને કદી અણગમો પણ નથી કર્યો. પ્રભુએ સતમગરને પણ ક્ષમાનો મહિમા સમજાવ્યો. તેમનાં હૈયાં પણ બદલાયા. ભગવાને કહ્યું, બુગ્ઝ બુગ્ઝ કિં ન સંબુઝહ?” સમજ સમજ ચંડકૌશિક, તને કેમ સમજાતું નથી? ને એ કેવું સમજી ગયો. ઘમો વીવ પર જ સરમુત્તમ ! ધર્મ જ બેટ, પ્રતિષ્ઠા (આધાર) ગતિને ઉત્તમ શરણ આપે છે. ધર્મ એટલે સ્વયંનો સ્વભાવ, વત્યુ સહાવો ધમો! વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ છે. ક્ષમા, નમ્રતા, સરળતા આદિ આત્માનો સ્વભાવ છે. ક્ષમા આપવાથી માણસ વાઘ જેવો થાય. નમાલા, કાયર માણસો કજિયાખોર હોય છે. અંગારો પાણીમાં પડતાં જ કોલસો થઈ જાય છે. પાણી થજો, વાંસ નહીં થતા. Negative thinking ક્યારેય ના કરતા, એ દ્રષ્ટિથી ના વિચારતા. Positive દ્રષ્ટિથી જ વિચારજો. આર્તધ્યાનનાં વિષયને ધર્મધ્યાનનો મુદ્દો બનાવી દેજો. ક્ષમા આપણને પરમાત્મા બનાવી દે છે. કારણ કે, અંતર વૈભવનો જબરજસ્ત ખજાનો છે એ સંપદા (સંપત્તિ)ને જાણો અને નિહાળો. એ અનહદ, અસીમ, અપાર છે. માત્ર ઓળખવાનો સવાલ છે. ૧૦ ધર્મોમાં ક્ષમા તે પ્રથમ ધર્મ છે. મહાવીરની ક્ષમા ઃ પ્રભુને પૂછવામાં આવ્યું, હે ભગવન્! કેવા નમાલા, દમ વિનાના માણસો તમને કેવું કેવું કહી ગયા? તમને કાંઈ જ ન થયું? પ્રભુએ કહ્યું, ના, ઘણું જ થતું ને હું કાંઈ પણ કરી નાખત, પણ તેઓ થોડા મોડા પડ્યા. (ત્યારે મહાવીર ક્ષમાવંત બની ગયા હતા.) =================^ ૧૨૪ -KNEF==============
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy