________________
तेरी जूदा पसंद है, मेरी जूदा पसंद,
तुझको खुदी पसंद है, मुझको खुदा पसंद । જ ભગવાન કહે છે : સારી પદ્ધતિ અને પ્રવૃત્તિનાં ચાહક થજો, ગુણોનાં ગ્રાહક
થજો, ઉત્તમ કરણીનાં આશક થજો. મળેલી વસ્તુ, ક્ષણ, તકને સાર્થક કરજો. સુખી થઈને રાજી થજો. મહાવીર જન્મ કે નિર્વાણ નિમિત્તે વિચારવા જેવું તત્ત્વજ્ઞાન,
અનાથતાનું સત્ય સ્વરૂપ અમારી કીર્તિ, માનપાનનું અમારું મહત્ત્વ, અમારો ઠસ્સો, શોખ, રૂઆબ, ધનના ઢગલાઓ અને અમારી હુકુમતો બધાને કેટ કેટલું મહત્ત્વ આપીએ છીએ?
આખરે તો બધું પોલી મુઠ્ઠીની જેમ દમ વિનાનું છે. આપણે કેવું ઊંધું અને નાલેશીભર્યું કરીએ છીએ? ભગવાન કરતાં આંગી વધારે મહત્ત્વની થઈ ગઈ. આવું તો ના થવું જોઈએ, પણ કરી આપણે કરી નાખ્યું. માલ મોંઘો થઈ ગયો ને માલિક કોડીનો.
ગાંડા માણસો રાજી થઈને બતાવે, આ મારું છે, આ અમારું છે! વાહ વાહ આ બધું જ તારું છે તો તું કોનો છે? એની એને ખબર નથી. તમે ધન-પદસત્તાને સ્વયં કરતા પણ વધારે મહત્ત્વપૂર્ણ સ્થાન પર બેસાડી દીધાં છે.
અનાથિ મુનિ શ્રેણિકને આ બધું સમજાવી રહ્યાં છે. મુનિ પાસે દેખીતી રીતે જ કાંઈ નથી. રાજા પાસે તો ઘણું ઘણું છે. આ ઘણું જ તમારા દુશ્મન પેદા કરશે, ઘણાંને નારાજ કરશે.
જ્યારે આખું અસ્તિત્ત્વ મુનિથી રાજી છે. વૃક્ષ-ઝરણાં, પશુ-પક્ષી, સરિતાસાગર-પહાડો, ચાંદ-સૂરજ-તારા, ફૂલો-કળીઓ અરે પવન અને કિરણો પણ..
અજ્ઞાની લોકો માનભંગ કરીને રાજી થાય છે. શ્રેણિક ધારત તો મુનિને ઉતારી પાડત. પણ તેનામાં ધાર્મિકતાનો ઉદય થવા લાગ્યો હતો. ધાર્મિકતા સ્વયંનો મામલો છે. તેનાથી પરમ શાંતિ અને અદ્ભૂત શક્તિ મળે છે. =================k ૮૩ -KNEF==============