________________
106
બહેનશ્રી : અંતર્દ્રષ્ટિ!
આત્મ સેતુ
અંતર યાત્રા
અંતર અનુસંધાન!
જેટલા અંશે દુઃખનું અનુસંધાન, તેટલું દુઃખ ઉપર!
જેટલા અંશે સ્વનું અનુસંધાન, તેટલા દુઃખની ઉપર!
સત્સંગી : હું સારાં કુટુંબમાંથી છું. સારૂં ભણ્યો છું અને સારૂં કમાઉં છું. સંસ્કારી અને સહકારી છું. મારી લાયકાત હોવા છતાં મારી અપેક્ષાઓ પૂરી નથી થતી. શું ઘરમાંથી કુટુંબમાંથી મારી અપેક્ષાઓ પૂરી ન કરવી જોઈએ?
બહેનશ્રી : તમને અન્ય પાસે આશા-અપેક્ષા છે.
અન્યને તમારી પાસે અપેક્ષા છે.
આ અપેક્ષા જાગે છે ક્યાંથી...?
અને
જેટલું મળતું હોય, તેટલી જ “લાયકાત”!
કહેવાય છે કે સંબંધો ઋણાનુબંધને લીધે હોય છે. જેટલી અને જેવી લેણ-દેણ હોય તેટલું જ મળે. દેવું વધારે હોય તો દૂધે ધોઈને દેવું ચૂકવી દેવું.
... અને જોવું કે આ અપેક્ષાએ જાગે છે કોને?
સત્સંગી : તમે કહ્યું કે દુઃખ આપીને આપણા પર મોટો ઉપકાર થયો છે. અમે આ રીતે કદી વિચાર્યું જ ન હતું.
બહેનશ્રી : દુઃખથી ભાગવાની ઘણી મહેનત કરાઈ.
તેણે પીછો ન છોડ્યો.
દુઃખને ભૂલવાના આપણે ઘણા પ્રયત્ન કર્યા.
તે આપણને નથી ભૂલતું.
તેની સાથે ભાઈબંધી કરી જોઈએ.
દુઃખ મંગળ કાર્યો પણ કરે છે.
તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૪
સત્સંગી : તમે વારંવાર કહો છો, અંતર્દષ્ટિ કરો. તો શું અમારે આંખો ઊંધી કરી જોવું?