________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
છ9
ઉપાદાન-નિમિત્ત સંવાદ
નિમિત્તની દલીલ – અવિનાશી ઘટ ઘટ બર્સ, સુખ કયોં વિલસત નાહિ? શુભ નિમિત્તકે યોગ બિન. પરે પરે વિલલાહિં. ૩૬
અર્થ:- નિમિત્ત કહે છે–અવિનાશી સુખ તો ઘટ-ઘટ દરેક જીવમાં વસે છે, તો જીવોને સુખનો વિલાસ-ભોગવટો કેમ નથી? શુભ નિમિત્તના યોગ વગર જીવ ક્ષણે ક્ષણે દુ:ખી થઈ રહ્યો છે. ૩.
અરે ઉપાદાન! જો નિમિત્તથી સુખ નથી અને અવિનાશી ઉપાદાનથી જ સુખ છે એમ તું કહે છે, તો બધા આત્માના સ્વભાવમાં અવિનાશી સુખ તો છે છતાં કેમ તેઓ તે મેળવી શકતા નથી ? સારાં નિમિત્ત નથી માટે ! જો આત્મામાં જ સુખ અવિનાશી ભર્યું હોય તો તેને કેમ ન ભોગવે? અને જીવ બહારમાં સુખનાં ઝાંપા કેમ નાખે? ઉપાદાન તો બધાને છે પરંતુ સારાં નિમિત્ત મળે ત્યારે સુખી થાય. –આવા નિમિત્ત તરફના અજ્ઞાનીઓના પ્રશ્નો અનાદિના છે, અને ઉપાદાનની ઓળખાણના જોરે તે પ્રશ્નને ઉડાવી દેનાર જ્ઞાનીઓ પણ અનાદિના છે.
જેને આત્માના સ્વાધીન સુખસ્વરૂપની ખબર નથી તે એમ શંકા કરે છે કે જો સુખ આત્મામાં જ હોય તો કયા જીવને સુખ ભોગવવાની ભાવના નથી? અને તો પછી તે સુખ કેમ ન ભોગવે? માટે સુખને ખાતર સારાં નિમિત્તો જોઈએ. અને એ નિમિત્તના આધારે જ આત્માનું સુખ છે. માનવદેહ, આઠ વર્ષનો કાળ, સારું ક્ષેત્ર, નિરોગી શરીર અને સત્ સંભળાવનાર સંત પુરુષનો સમાગમ આ બધા જોગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com