________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
६६
મૂળમાં ભૂલ બંધાણા તેનાથી મોટપ છે-એમ તે પુદ્ગલની ધૂળથી આત્માની મોટાઈ બતાવે છે; પરંતુ નિમિત્ત તરફના જે ભાવથી તીર્થંકરગોત્રના જડ પરમાણુઓ બંધાય તે રાગ મોટો? કે ઉપાદાન તરફના જે ભાવે તે રાગ ટાળીને પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાનદશા પ્રગટે તે ભાવ મોટો?
એટલું ધ્યાન રાખવું કે તીર્થકરગોત્રના પરમાણુઓ બંધાય તે રાગભાવથી બંધાય છે, પરંતુ વીતરાગતા અને કેવળજ્ઞાન એ કાંઈ તે તીર્થકરગોત્ર બંધના રાગ ભાવથી થતા નથી, પરંતુ તે રાગભાવ ટાળીને સ્વભાવની સ્થિરતાથી જ ત્રિલોક પૂજ્ય અરિહંતપદ પ્રગટે છે. માટે રાગ મોટો નથી, પરંતુ રાગ ટાળી પૂર્ણપદ પામી સ્વરૂપે પ્રગટ કરે છે તે જ મહાનપદ છે.
ઉપાદાન ઉત્તર આપતાં નિમિત્તને બરાબર ઢંઢોળે છે.
ઉપાદાન કહૈ તુ કહું, ચહુંગતિમેં લે જાય;
તો પ્રસાદ તેં જીવ સબ. દુઃખી હોહિં રે ભાય. ૩૩
અર્થ:- ઉપાદાન કહે છે-અરે નિમિત્ત! તું કોણ? તું તો જીવને ચારે ગતિમાં લઈ જાય છે. ભાઈ, તારી કૃપાથી સર્વે જીવો દુઃખી જ થાય છે. ૩૩.
નિમિત્ત તો એમ કહેતું હતું કે મારી કૃપાથી જીવ ત્રણ લોકનો નાથ થાય છે, તેની વિરુદ્ધમાં ઉપાદાન તો એમ કહે છે કે તારી કૃપાથી તો જીવ સંસારની ચાર ગતિમાં રખડે છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ પણ સંસારનું કારણ છે. ધ્યાન રાખીને બરાબર સમજ્જો, કડક પડે તેવું છે જે ભાવે તીર્થકરગોત્રનું આત્માને બંધન થયું તે ભાવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com