________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૫૫
ખરીને નવાં બંધાય છે અને તેની મુદત પૂરી થતાં તે પણ ખરી જાય છે; જીવ જો નવા રાગ-દ્વેષ કરે તો તે કર્મોને નિમિત્ત કહેવાય છે. આ રીતે ઉપાદાન સ્વરૂપ આત્મા તો અનાદિથી એવો ને એવો જ રહે છે, અને કર્મ તો બદલ્યા જ કરે છે માટે હું ઉપાદાન જ બળવાન છું. મારા ગુણને પ્રગટ કરવાની તાકાત પણ મારામાં જ છે. સદેવ-ગુરુ-શાસ્ત્ર એ પણ જીદા જુદા પલટતા જાય છે, અને તેમની સાચી વાણી પણ પલટતી જાય છે (ભાષાના શબ્દો સદા એક સરખા રહેતા નથી) પરંતુ સદેવગુરુ-શાસ્ત્ર અને તેમની વાણીનું જ્ઞાન કરતી વખતે મારું પોતાનું જ્ઞાન જ્ઞાનથી કામ કરે છે. હું આત્મા ત્રિકાળ છું અને ગુણના નિમિત્તો કે દોષના નિમિત્તો એ બધા બદલતા જ જાય છે. કર્મોના ૫૨માણુઓ પણ ફરતા જ જાય છે, તો કર્મ મોટા કે હું મોટો ? અજ્ઞાનીઓની મહામિથ્યાત્વરૂપ ભયંકર ભૂલ છે કે કર્મ આત્માનો પુરુષાર્થ અટકાવે. આત્માના પુરુષાર્થને પરાધીન માનનારાઓ મહામિથ્યાત્વરૂપ સૌથી મોટો દોષ વહોરે છે. વીતરાગ શાસનમાં ૫૨મ સત્ય વસ્તુસ્વરૂપ જાહેર થાય છે કે આત્માના ભાવમાં કર્મનું જોર બિલકુલ નથી, આત્માનું જ બળ છે. આત્મા સંપૂર્ણ સ્વાધીન છે, પોતે સ્વાધીનપણે પોતાના ગમે તે ભાવને કરી શકે છે, આત્મા પોતે જે સમયે જેવો પુરુષાર્થ કરે ત્યારે તેવો પુરુષાર્થ થઈ શકે છે. આવી આત્મસ્વાધીનતાની સમજણ એ જ મિથ્યાત્વના સૌથી મોટા દોષનો નાશ કરવાનો એકમાત્ર ઉપાય છે.
ભાઈ રે! તું આત્મા સ્વતંત્ર વસ્તુ છો, તારા ભાવે તને લાભ-નુકશાન છે. કોઈ પર ચીજ તને લાભ-નુકશાન
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com