________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૨૭
હોય તો જ થાય છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે, તો ત્યાં નિમિત્તનું જોર આવ્યું કે નહિ?
આવી દલીલ નિમિત્ત કરે છેઃ
કૈ કેવલી કૈ સાધુ કૈ, નિકટ ભવ્ય જો હોય;
સો ક્ષાયક સમ્યક લહૈ, યહુ નિમિત્ત બલ જોય. ૧૦
અર્થ:- નિમિત્ત કહે છે કે-જો કેવળી ભગવાન અગર શ્રુતકેવળી મુનિ પાસે ભવ્ય જીવ હોય તો જ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટે છે, એ નિમિત્તનું બળ જુઓ ! ૧૦.
[અહીં દલીલ કરતાં જ નિમિત્તની ભાષા લૂલી આવી છે. แ ભવ્ય જીવ હોય તો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટે છે” એમાં ભવ્ય જીવ કહેતાં જ લાયકાત તે જીવની પોતાની જ છે તેથી જ ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે–એમ દલીલના જ શબ્દમાં આવી જાય છે.]
ક્ષાયિક સમ્યક્ત્વ એટલે આત્માની એવી સમ્યક્ પ્રતીતિ કે જે કેવળજ્ઞાન લીધે જ છૂટકો કરે. અર્થાત્ એવું આત્મભાન કે જે પાછું ન જ પડે, શ્રેણીક રાજા પહેલી નથી નીકળીને આવતી ચોવીસીના પહેલાં તીર્થંકર થવાના છે તેમને આવું ક્ષાયિક સમકિત છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને આત્માની ખૂબ દૃઢ શ્રદ્ધા હોય છે. તે એવી દૃઢ હોય કે ત્રણલોક ફરી જાય કે ઇન્દ્ર તેને ડગાવવા ઊતરે તોપણ તેની શ્રદ્ધા ફરે નહિ; તેને અપ્રતિહત શ્રદ્ધા હોય છે. ચૌદ બ્રહ્માંડથી હલાવ્યો ન હાલે અને ત્રણલોક ખળભળી જાય તોપણ ભય સંદેહ ન પામે એવું નિશ્ચળ સમ્યક્ત્વ તે ક્ષાયિક સમકિત છે. નિમિત્તનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com