________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬
મૂળમાં ભૂલ નહિ. પણ સાચું જ્ઞાન આત્માનું પોતાનું હોવાથી તે આત્માને મદદ કરે છે. પૈસા-શરીર વગેરે કોઈ ચીજ આત્માના ધર્મનું સાધન તો છે જ નહિ, પરંતુ તેનાથી આત્માને પુણ્ય-પાપ પણ થતાં નથી. પૈસા મારા” એવો જે મમત્વ ભાવ છે તે ભાવ અજ્ઞાન છેપાપ છે, અને તે મમતા ઘટાડે તો તે ભાવથી પુણ્ય છે; પૈસાને લીધે પાપ કે પુણ્ય નથી. પૈસા મારા અને હું તે રાખું એવો જે મમત્વરૂપ ભાવ તે મહાપાપ છે, જે ખરેખર મમતા ઘટાડે તો દાનાદિ શુભકાર્યમાં લક્ષ્મી ખરચવાનો ભાવ આવ્યા વગર રહે જ નહિ. અહીં તો નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ સમજવાનો અધિકાર ચાલે છે.
નિમિત્ત તરફથી દલીલ કરનાર જીવ શાસ્ત્રોનો જાણનાર છે, શાસ્ત્રોની કેટલીક વાતો તેણે જાણી છે તેથી તે વાતોને રજૂ કરીને તો તર્ક કરે છે. જેણે દાખલો લખ્યો હોય તેને વચ્ચે કાંઈક પૂછવાનું હોય અને તે પ્રશ્ન કરી શકે, પરંતુ જેણે સ્લેટ કોરી રાખી હોય અને કંઈ જ લખ્યું ન હોય તે શું પ્રશ્ન કરે? તેમ જેણે કાંઈક શાસ્ત્રાભ્યાસ કર્યો હોય અગર શ્રવણ કરીને કેટલીક વાત પકડી હોય તે દલીલ કરીને પ્રશ્ન પૂછે, પરંતુ જેણે કદી શાસ્ત્ર ઉઘાડ્યું ન હોય અને શું વાત ચાલે છે તેની પણ ખબર ન હોય તે શેના પ્રશ્નો પૂછે?
અહીં શિષ્ય શાસ્ત્ર વાંચીને પ્રશ્ન કરે છે કે-હું ઉપાદાન ! આત્માનો ધર્મ પોતાના ઉપાદાનથી જ થાય છે, નિમિત્ત કંઈ કરતું નથી એમ તમે કહો છો, પરંતુ ભવ્ય જીવોને ક્ષાયિક સમ્યકત્વ થાય છે તે તો કેવળી-શ્રુત કેવળીની પાસે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com