________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪
મૂળમાં ભૂલ નિરપેક્ષ છે. –આમ જે પોતાના સ્વભાવને નથી જાણતો, અને પર સાથેની લપ ઊભી કરે છે તે જીવ સાચા જ્ઞાન પરિણામને ઓળખતો નથી, અને દેવ-ગુરુ-શાસ્ત્રના કથનનું જે મૂળ પ્રયોજન છે તેને પણ તે સમજતો નથી. એકલો નિરપેક્ષ જ્ઞાનભાવ બતાવવાનું જ જ્ઞાનીઓનું પ્રયોજન છે. એ જ્ઞાનભાવને સમજ્યા વગર અહિંસા-હિંસાદિના જે કોઈ શુભ કે અશુભ પરિણામ કરે તે બધાય ફક્ત પોતાને જ અનર્થનું કારણ થાય છે, પરમાં તો તેનાથી કિંચિત્ માત્ર થતું નથી. હિંસા કે અહિંસાના જે શુભઅશુભ પરિણામ છે તે ખરેખર સંસારનું મૂળ કારણ નથી પણ તે પરિણામમાં એકત્વબુધ્ધિ જ સંસારનું મૂળ કારણ છે. શુભ પરિણામમાં એકત્વબુધ્ધિ વગર તેનાથી ધર્મ માને જ નહિ. અને હું પરને મારી–બચાવી શકું એમ, પરમાં એકત્વબુધ્ધિ વગર માને જ નહિ. હું પરને સુખી કરી દઉં-એવી માન્યતાથી પર જીવ તો કાંઈ સુખી થઈ જતા નથી પણ તે માન્યતાથી પોતે જ દુઃખી થાય છે. પરનું ભલું કરવાની માન્યતાથી માત્ર પોતાનું જ અનર્થ જ થાય છે, પરનું તો કાંઈ જ થતું નથી. પરનું ભલું-બૂર તેના પોતાના પરિણામને આધીન છે.
જેનો વિષય ન હોય તે નિરર્થક છે. એટલે કે જીવ જે પ્રમાણે માનતો હોય તે પ્રમાણે જો વસ્તુ સ્વરૂપ ન હોય તો તેની માન્યતા નિરર્થક છે, મિથ્યા છે. અજ્ઞાનીની એવી માન્યતા છે કે હું પર જીવોને કંઈક કરું. પણ પોતે પર જીવોને કાંઈ કરી શકતો નથી, માટે તેની માન્યતા નિરર્થક હોવાથી મિથ્યા છે, અને તે જ બંધનું કારણ છે. શું પર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com